________________
કરવા હું શું કરી શકું તે વિચારતા એક જ ઉપાય લક્ષગત થાય છે કે આપની આજ્ઞાનુસાર માત્ર આ જીવનું પ્રવર્તન હો.
આપ પ્રભુ મને પ્રિય છો, ગમો છો એ તો ધર્મની શરૂઆત છે, આ જીવાત્મા આપને જ્યારે ગમશે ત્યારે આ આત્માના ધર્મની પૂર્ણાહુતિ થશે. આ લક્ષ સિદ્ધ થવા અર્થે પણ પ્રભુ આપની જ કૃપાદૃષ્ટિ, સહાય અને સમયે સમયે આપ પ્રભુની પ્રેરણાની પ્રાપ્તિ માટે પરમ પ્રેમે હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, અરજ ગુજારું છું.
વર્તમાન દેહે, આ આત્માને આપનાં વચનામૃત, મુદ્રા અને આપનાં મુમુક્ષનાં સતુ સમાગમનો જે યોગ મળ્યો છે તે મારું મહદ્ પુણ્ય માનું છું. આ બધું પ્રાપ્ત ન થયું હોત તો આ જીવાત્મા માઠી ગતિનાં કારણરૂપ અનેક પ્રવૃત્તિ કરતો હોત. પરંતુ ના પ્રભુજી હવે આ જીવથી એવી કોઈ પ્રવૃત્તિ તો નથી જ થતી. પરંતુ સગતિની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરવાની આપની આજ્ઞા છે, તેમાં પ્રમાદ રહે છે. પ્રભુ આ દોષનું નિવારણ થવામાં સહાય કરજો. અંતમાં શ્રદ્ધાંજલિરૂપે બે પુષ્યભક્તિગીત) અર્પણ કરું છું.
શ્રદ્ધાંજલિ એક ઓલિયો, આવીને ચાલ્યો ગયો; આ ધરતીને, પાવન કરતો ગયો. એક બાળવયે જ્ઞાન જ્યોત, જલાવી ગયો; સોળ વર્ષે મોક્ષ મારગ, આપી ગયો... એક યુવાવયમાં શતાવધાન, સિદ્ધિ કરી; વળી શુદ્ધ સમક્તિનો સ્વામી થયો... એક ઘણાં સંગમાં રહીને અસંગ થયો; ભવ્ય જીવોને મારગ ચિંધી ગયો. એક
હાઇakી પ્રજ્ઞાબીજ - 298 take