________________
બોધપાઠ-૧૦૦
0 શ્રીમજીનો ઉપદેશ-૮
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કોઈ એક સત્સંગમાં મુમુક્ષુનો પ્રશ્ન હતો, “મોક્ષ એટલે શું ?’ તેનું શ્રીમદ્જીએ તાત્વિક સમાધાન આપ્યું છે તે અદ્ભુત છે, લોકોત્તર છે :
આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ.”
ભિન્ન ભિન્ન ધર્મમતમાં મોક્ષની જે વ્યાખ્યા કહેવામાં આવે છે તેથી આ તદ્દન અલગ જ વ્યાખ્યા છે. બધાં મર્યા પછીનાં મોક્ષની કલ્પના બતાવે છે. શ્રીમદ્જી જીવતા મોક્ષનું સ્વરૂપ બતાવે છે. આવો મોક્ષ કોઈપણ માનવજીવ પામી શકે છે. પોતાનો જ આત્મા જે વાસ્તવમાં શુદ્ધ છે, પરંતુ કર્મયુક્ત છે તેથી શુદ્ધતા સમજાતી નથી. કર્મ ક્ષય કરીને શુદ્ધ થવાય છે. મૂળથી આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ મિથ્યા માન્યતા, આગ્રહો છૂટે તો જ્ઞાનસ્વરૂપ ભાસે. જેમ-જેમ અજ્ઞાન-વિપરિત જ્ઞાન છૂટતું જાય તેમ-તેમ જ્ઞાનસ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે, જેમ કે પરોઢનો સૂર્યપ્રકાશ, પ્રભાતનો પ્રકાશ, મધ્યાહ્નનો પ્રકાશ.
Sakી પ્રજ્ઞાબીજ • 280 &ાઇ છે