________________
બોધપાઠ-૮૩
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૧
પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીનો બોધ તેમની વધતી દશાનુસાર અઠ્યાવીસમાં વર્ષે તો બારે મેઘ વરસતા હોય તેમ જોવા મળે છે.
“મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી.”
જ્ઞાનીઓએ અજ્ઞાનને સંસારનું કારણ માન્યું છે. અજ્ઞાન એટલે વિપરિત જ્ઞાન. સ્વભાવ છોડીને, વિભાવમાં-પરભાવમાં જીવનું પ્રવર્તન તે કર્મબંધનું કારણ છે અને કર્મબંધ સંસારનું કારણ છે. જ્ઞાન થયે સંસાર નિરાધાર થશે.
“સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા (૫૨-અન્ય) પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે.’’
પ્રત્યેક ગતિનો, પ્રત્યેક જીવ સમસ્વભાવી હોવાનું સ્વાભાવિક છે, જો કે આ જ્ઞાન માનવજીવોને સહજ વિચારતા સમજાય તેમ છે, અન્ય જીવોની
484848 પ્રશાબીજ + 225 KAKOR:D