________________
આ પુસ્તકના પ્રકાશનમાં ઉદાર હાથે મુખ્યત્વે આર્થિક સહયોગ કરનાર આ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી મુરબ્બી શ્રી દલીચંદભાઈ (બાબુકાકા) દામાણીના સુપુત્રી શ્રી જયેન્દ્રભાઈ, શ્રી નિરંજનભાઈ તથા શ્રી શરદભાઈ દામાણી તેમ જ તેઓશ્રીના સમસ્ત પરિવાર પ્રત્યે હાર્દિક અનુમોદન સાથે ટ્રસ્ટીમંડળ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
સર્વ પ્રથમ તો આ પ્રવચનોને કેસેટમાંથી પુસ્તકમાં રૂપાંતરણ હેતુ તેને વારંવાર ઉપયોગપૂર્વક સાંભળીને તેનું અક્ષરશઃ શબ્દોમાં આલેખન હેતુ પ્રણિધાનપૂર્વકનો ભાવ પરિશ્રમ કરનાર મુંબઈના સત્સંગી મુમુક્ષુ બહેન શ્રી જીતુબહેન પ્રત્યે અત્યંત માન અને આદરની લાગણી સાથે તેમનો અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર સાથે આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રેણીના પ્રકાશનમાં વિવિધ સ્તરે પોતાની અમુલ્ય સેવા આપનાર મુમુક્ષુ ભાઈ શ્રી જગદીશભાઈ મહેતા, શ્રી અનિલભાઈ વોરા, શ્રી કે.પી. મિયાત્રાભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. સમયબદ્ધ તેમ જ સુંદર છપાઈ કામગીરી બદલ કિતાબઘર પ્રિન્ટરીને પણ ધન્યવાદ.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ, રાજકોટનો આ નમ્ર પ્રયાસ સર્વે મુમુક્ષુઓના આત્મકલ્યાણનું કારણ બને એ જ મંગલભાવના સહ.
સત્યરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો;
કૃપાળુદેવનું બોધબળ મુમુક્ષુઓનું કલ્યાણ કરો. રાજકોટ
- લી. વિનીત ટ્રસ્ટીમંડળ શ્રી રાજજયંતિ, ૧૫૦મો જન્મદિન
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ કાર્તિક પૂર્ણિમા-૨૦૭૪
[4]