________________
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ: અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ, ૯૮
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કા૨ણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
૯૯
રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ ૧૦૦
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત. ૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪
છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
ટ્યસ્પદનાં પદ્મશ્ન હૈં, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર ૧૦૬
જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિલો, એમાં ભેદ ન કોય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતર શોધ. ૧૦૯
[16]