________________
અધ્યાત્મ સંસ્કૃતિનો વારસદાર છે એની ગરિમા એને નથી અનુભવાતી ષટ્કર્શન જિન અંગ ભત્રીજે.' કે પરમાત્મા ! સર્વજ્ઞ ! વિતરાગ જિનેશ્વર ! તારામાં તો છએ દર્શન આવીને સમાય છે. કૃપાળુદેવ રાજચંદ્રજી કહે છે, આ છ પદ અમે જે કીધાં છે તે સંક્ષેપમાં તો કીધાં છે, એમાં આખો વિતરાગ દર્શનનો સાર તો અમે મૂક્યો છે પણ છ એ દર્શન પણ એમાં જ આવી જાય છે. અધ્યાત્મની દૃષ્ટિએ, વિચારની પરિપાટી ઉપર, સત્ય શોધનના પુરુષાર્થના આધાર ઉપર, જે અનંતા જ્ઞાનીઓએ જુદીજુદી પ્રકારનાં જે પ્રયોગ કર્યા છે અને એના આધા૨ ઉપ૨ જે નિષ્કર્ષ મેળવ્યો છે, જેને દર્શન કહેવાય છે તે પણ આ છ પદમાં સમાવિષ્ટ થાય છે. આ બધું આપણને ‘સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ.’ આ બધું જ્ઞાનીએ આપણને શું કામ કીધું ? આટલી વિશાળ ગ્રંથરાશિની રચના ! વિસ્તારથી પણ કીધું અને સંક્ષેપમાં પણ કીધું. કારણ કે કેટલાય જ્ઞાનીઓએ આનાં રહસ્ય કાઢી-કાઢી, ભાષ્ય, ચુર્ણી, ટીકા – અનેક વસ્તુ લખી આના ઉપર કે જગતના જીવો ! જુઓ. આ કેવી અદ્ભુત જ્ઞાન ખજાનો ભર્યો છે. આ તો રત્નાકર છે. જ્ઞાનનિધિ અને જ્ઞાનવારિધિ છે. એટલે એમણે તો આખી ગ્રંથરાશિનું સર્જન કર્યું. આગમ, સૂત્રો, ચુર્ણો એનાં ભાષ્ય, એની ટીકાઓ, એનાં વિવેચનો કેટલું બધું મળ્યું છે !
આ બધું જ્ઞાનીઓએ કહ્યું છે. આ એક જ લક્ષ બંધાવા કહ્યું છે. ‘સમજાવા પરમાર્થને.’ જેથી કરીને જીવ પરમાર્થ = પરમ + અર્થ - સમજે. કોઈ પણ પ્રકારે આ જીવ પરમાર્થને સમજે. ‘સમજાવા’ છે. ‘સમજાવવા’ નથી. પ્રત્યેક જીવે વિચાર કરવો કે મારે આનાથી પરમાર્થને સમજવો છે. અનાદિની જે પરમાર્થ સંબંધી ભ્રાંતિ છે એને ટાળવી છે. પણ જીવ સમજાવાને બદલે સમજાવવાના વેપારમાં પડી ગયો છે. અહીં તો જાતે સમજવાની વાત છે. બીજાને સમજાવવાની વાત નથી. સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ તેહ કૃપાળુદેવે પણ કેટલી બધી ઉદારતા બતાવી છે કે ષટ્દર્શન પણ જેણે બાંધ્યા છે તેણે પણ બહુ ડહાપન્ન વાપર્યું છે. કેમ કે જે ભૂમિકામાં જીવ હોય, તે ભૂમિકામાં એને તત્ત્વનું દર્શન કરાવવું જોઈએ અને એ કરાવ્યું છે. પણ જીવ પોતાની મેળે સ્વરૂપ સમજવા જાય તો બેસે નહીં. કારણ કે તે બેસવું તે સત્પુરુષના આશ્રર્ય થાય. જે પુરુષે – જે સ્વરૂપ સમજાવ્યું છે તે એનો આશ્રય લઈને સમજીએ, તો જ સમજાય. આ પરમાર્થ માર્ગ સમજવામાં, કોઈ પણ પ્રકારે ૫રમાર્થ સંબંધે, મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં.' ક્યાંય કલ્પનામાં જાવું નહીં જે કાંઈ સમજવું છે તેમાં જ્ઞાનીના વચનનું અવલંબન લેવું. બારમા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન લેવું. અનંતા જ્ઞાનીઓએ જે કહ્યું છે તે શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે. એ શ્રુતનું અવલંબન રાખજે. સ્વચ્છંદમાં ક્યારેય જઈશ મા. સ્વચ્છંદને પરમાર્થ માર્ગમાં મહા દુઃશ્મન કહ્યો છે.
આ છ પદની વાત કરી. હવે આત્માના પ્રથમ પદની વિચારણા કરીએ. આ આત્મસિદ્ધિગ્રંથ’ સંવાદના રૂપમાં છે. શિષ્ય એ શંકા કરે અને ગુરુ એનું સમાધાન આપે. શિષ્ય એકદમ અજ્ઞાનમાં છે. હું કાંઈ જાણતો નથી. આપે જે આત્માના છ પદ કહ્યાં તે તત્ત્વજ્ઞાન સંબંધી મારું કોઈ જ્ઞાન નથી. મારી તો ઉલ્ટાની એમાં ભ્રાંતિ છે. ભ્રમણા છે. હે પ્રભુ ! હું હવે તમને મારી વાત કહું છું તે સાંભળો અને પછી હે સમાધાન આપો.’ આપે તો આત્માના છ પદ કહ્યાં કે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, પોતાના જ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૭ 143