SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ દોટાદઃ અસત પરિણામયુક્ત બેધ અસત (૨૯૯) વાયેલા વિષમિશ્રિત અન્નનું દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જે વિષથી દૂષિત હોય, તેને વિષને સંગ લાગ્યો હોય, તે તે આખું ભેજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિને જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસત્-મિથ્યા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે; અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂપ આગમબેધ પણ તે અસત્ પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. એટલે આ ઉપરથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે-ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલે દ્રવ્ય કૃતજ્ઞાની હોય, ગમે તે આગમવેત્તા-આગમધર શાસ્ત્રવિશારદ કહેવાતું હોય, ગમે તે વાકપટુ હોઈ વાચસ્પતિ બધ પણ કહેવાતું હોય, ગમે તેવો શાસ્ત્ર ધરાવતો હોય, તો પણ તેના અબોધ પરિણામ અસત્ હોવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે અજ્ઞાની જ છે, તેને તે સવ બોધ અબોધરૂપ જ છે. ક્ષયોપશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષયોપશમ હોય, તે પણ તેને આધાર વાસનામય બંધ હોવાથી, “વાસિત બોધ આધાર હોવાથી, તેને તે બેધ વાસ્તવિક રીતે અબોધ જ છે. કારણ કે– વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ ગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો.”—શ્રી આનંદઘનજી વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત પરિણામની વાસના હોય છે, ત્યાં લગી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે, ગમે તેટલે દ્રવ્ય શ્રુતબધ પણ અધરૂપ જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“અભવ્ય સારી ભવાભિનંદીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છેડતે નથી,-સાકરવાળું દૂધ પીને જ્ઞાન-કિયા પણ પન્નગ (વિષધર-સા૫) નિર્વિષ–ઝેર વગરના નથી હોતા તેમ.” નિષ્ફળ (જુઓ પૃ. ૭૯ ). આ અભવ્યના દષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય છે કે અભવ્ય તો કદી પણ અનાદિ અસત્ વાસના છેડત નથી, સ્વપરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતો નથી, તેથી તેને કદી મેક્ષ થતો નથી. તેમ અન્ય જીવ પણ-ભવ્ય પણ જ્યાંલગી અનાદિ કુવાસના-અસત્ વાસના છોડતું નથી, જ્યાં લગી સ્વ-પરનો ભેદ જાણવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતે નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હેઈ સંસારમાં રખડયા કરે છે. અર્થાત્ જ્યાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિં ત્યાં લગી ભવભ્રમણ પણું ટળે નહિં; કારણે કે
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy