SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) યોગદક્ટિસમુચય પદ અઘસંવેદ્ય તે, એહ થકી વિપરીત; ભવાભિનંદી વિષચી તે, સમારે પણ સહિત. ૭૫, અર્થ –એનાથી વિપરીત તે અસંવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિનદી છે, -(ભવાભિનંદી જીવને તે હોય છે); અને તે સમાપથી સમાકુલ એવું હોય છે. વિવેચન “એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય ભવભિનંદી જીવને જી, હોય તે વજી અભેદ્ય મની”—શ્રી જે. દ. સજઝાય. ૪-૮ ઉપરમાં જે વેધસંવેદ્ય પદનું લક્ષણ કર્યું, તેનાથી વિપરીત-ઉલટા પ્રકારનું જે છે, તે “અદ્યસંવેદ્ય પદ’ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છેઃ અવેદ્ય એટલે અવેદનીય,-ન વેદાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે જે ગ્રાહ્યગ્રહણ કરી શકાય એવું નથી, તે અવેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પરિઅવેદ્ય ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ “અવેવ” કહ્યું છે. એટલે શું? ભાવગીઓને સામાન્યપણે વસ્તુસ્થિતિનું અમુક પ્રકારનું સામાન્ય સમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગદર્શન હોય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસંવેદન, સમ્યગદર્શન, અનુભૂતિ હોય છે. જેમકે-છે દેહાદિથી ભિન્ન આતમા રે”—એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવને નિશ્ચય સામાન્યપણે સર્વ ભાવગીઓને હોયજ છે. એવો અનુભવ અવિકલ્પરૂપ-નિર્વિકલ્પ બેધરૂપ હેય છે, એમાં કઈ પણ વિકલ્પ હોતું નથી, એટલે તવવિનિશ્ચયરૂપ આ નિવિકલ્પ અનુભવ સમ્યગદર્શન સ્વરૂપ છે. કારણ કે “દર્શન” અવિકલ્પરૂપ કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપત્તિને લીધે. (તેવું સમાન પરિણામ ઘટતું નથી તેથી). આવું જે “અ ” તે સંદાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષપશમને અનુરૂપપણે ઉપક્ષવસારવિપસરૂ૫ ( ગોટાળાવાળી ) એવી નિશ્ચયબુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણા જલની જેમ જે પદમાં જણાય છે, તે તથા પ્રકારનું અદ્યસંવેદ્ય છે. એટલા માટે જ કહ્યું – મવામિનવિષચં–ભવાભિનંદી જેને વિષમ છે એવું, ભવાભિનંદીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. (ભવાભિનંદી એટલે ભવ-સંસારને અભિનંદનારે, વખાણનારે, સંસારમાં રાચનારે ). સમારોપણમવુમ્-સમારોપથી સમામુલ–અત્યંત આકુલ. મિથ્યાત્વના દેષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારોપથી તેવા પ્રકારે પણ તે મલિત છે, એમ અર્થ છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy