SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગદષ્ટિસમુચ્ચય (૨૬૨) સાથે જ, ૧. તત્ત્વના નિય કરવામાં ન્યાયવેત્તાએ પ્રથમ તે (૧) સાધ્ય નક્કી કરે છે,* સાધ્યના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એવા હેાય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેના પ્રયાગ કરવા જોઈએ, નહિ તેા લક્ષ્ય વિનાના ખાણ જેવી સ્થિતિ થઇ પડે, એમ તેએ જાણે છે. ( ૫ ) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેના હેતુ વિચારે છે. સાધ્યને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે—અવશ્ય તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુના સબંધ અવિનાભાવી એટલે કે એક ખીજા વિના ન ચાલે એવા છે. તથાપ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપપત્તિથી, એમ એ પ્રકારે હેતુના પ્રયેાગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપન્નપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, ખીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યાસ હાય, તા હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. ( ) આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દૃષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યાપ્તિ વિશેષે કરીને સંબધસ્મરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધન્ય થી દાંત છે; અને જ્યાં સાધ્ય નિવૃત્ત થતાં સાધનને પણ અસ’ભવ કહેવામાં આવે, તે વૈધ થી દૃષ્ટાંત છે. અંતર્ વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હોય, તે ખાદ્ય ઉદાહરણ સાથ ક છે, નહિ તેા તેના અભાવે વ્યથ છે, (૩) આવા દૃષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદા અસિદ્ધ, અપ્રતીત, અન્યથાપપન્ન, વિરુદ્ધ, તે અનૈકાંતિક એવા સાધમ્મ થી ઉપજતા દષ્ટાંત દેષો આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરેદેષો પણ આવવા દેતા નથી. અને વૈધમ્યથી ઉપજતા દૃષ્ટાંતદેષો દૂરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જને અનુમાનત્ર પ્રમાણથી નિષ્ણુ એવા સમ્યક્ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, ને નિર્દોષ દૃષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તત્ત્વનું અસ્તિત્વ સ્થાપે છે. સાધ્યું, હેતુ અને દાંત ૨. તત્ત્વનિ યમાં બીજી વસ્તુ તત્ત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્ત્વનું સ્વરૂપ-સ્વલક્ષણ શું છે? તેના સામાન્ય-વિશેષ ગુણુ શુ છે ? એને તેએ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. · તે એકનિષ્ઠ નયાની શ્રુતમાગમાં પ્રવૃત્તિ થકી સંપૂણું' અનેા વિનિશ્ચય કરાવનારૂ *66 साध्या विनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ અન્યથાનુવપન્નથું હેતોજેક્ષળમીપ્તિમ્ । તન્નત્તિયન્ટેનિવાસસ્તનામના ।।'' ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર, + " साध्या विनाभुवो लिङ्गात् साध्यनिश्चायक स्मृतम् 1 અનુમાન તરૂવ્રત પ્રમાળયાત સમક્ષત્રત | ’—ન્યાયાવતાર.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy