SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) ગદષ્ટિસમુચ્ચય આસનની દઢતા-ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે બાહ્ય વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણી પ્રવર્તે છે. આમ આ “અવધૂત સદા મગનમાં” રહે છે! અબધૂ સદા મગનમેં રહેના, કયા તેરા કયા મેરા? અબધૂ૦ તેરા હૈ સો તેરી પાસે, અવર સબહી અનેરા... અબધૂ” –શ્રી આનંદઘનજી “જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણું વત્તે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વતે છે.—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૨૯૭. (અ. ૩૬૦) એ જ કહે છે – अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा। प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१॥ ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત; અપાયના પરિહારથી, સહુ પ્રણિધાન પ્રશસ્ત, ૫૧, અર્થ -સર્વ ગમન ત્વરા–ઉતાવળ વિનાનું અને સર્વ કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સંયુક્ત એવું હોય છે. વિવેચન ઉપરમાં જે સુખાસન કર્યું તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. આ દૃષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વતે છે–એટલી બધી સ્થિરતા રહે છે કે તેની બધી ડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, ઉતાવળે તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધું પરિણામ એ આવે અભાવ છે કે તે ગમે તે સ્થળે જતો હોય અથવા ગમે તે ક્રિયા કરતું હોય, તોપણ તે તે કર્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ-સ્વર હોતી નથી, દોડધામ હોતી નથી. તેની સર્વ કિયા મનના પ્રણિધાન સંયુક્ત હોય છે, અને તે દૃષ્ટિ આદિમાં અપાય-ખામી આવવા દેતું નથી. એટલે તે દેવમંદિરે જતું હોય કે ઉપાશ્રયે જતે હોય, સંસાર વ્યવહારના કામ માટે જતા હોય કે પરમાર્થના કામ માટે જતે હોય, દેહચિંતા અર્થે જતું હોય કે અન્ય કાર્ય અર્થે જતો હોય, તો પણ તે ઉતાવળે ગમન કરતું નથી, કૃત્તિ –અવરપૂર્વ -અતૂરાપૂર્વક, ત્વરા–ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્વ-સર્વ-સામાન્યથી, તે શું? તે કે--મ-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે કૃત્યમેવ વા –તેમ જ કૃત્ય પણ, વંદનાદિ કય પણ, કળિધાનસમાયુ-મનના પ્રણિધાનપુર:સર, (મનની સાવધાનતા યુક્ત), નાચવરિદાતઃ–અપાયના પરિહારથકી,-દષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, (દષ્ટિ આદિમાં કઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દેશના ત્યાગથી).
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy