SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૬) नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्त्तते । तदभावाच्च सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણા અસત્, પ્રવર્તાતી નહિં અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સત્ર ૫૦ યાગદષ્ટિસમુચ્ચય અર્થ :—આ દૃષ્ટિ હેાતાં, અસત્ તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્ત્તતી નથી; અને તેના અભાવને લીધે સત્ર-સર્વ સ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કહ્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યુ. છે. જ્યારે આ દૃષ્ટિ વતી હાય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દોડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણા પ્રવર્ત્તતી નથી; અને તેના અભાવથી સર્વત્ર જ સુખાસન હેાય છે. આમ આ દૃષ્ટિમાં વતા મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણા દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝવાં નાંખવા જેવી જૂડી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તે વિષયરૂપ મૃગતૃષ્ણાની પાછળ ખુવાર થવામાં તેણે ખાકી રાખી ન્હોતી, તેની પાછળ તેણે દોડાય એટલું દોડવા જ કર્યુ હતું, દોડત દોડત ઢોડિયા, જેતી મનની રે દોડ', પણ હવે તે કાંઈક થાકયો છે, વિરામ પામ્યા છે. અસત્ તૃષ્ણા અભાવ કારણ કે આ સકલ જીવલેાક * સ`સારચક્રને ચાકડે ચડેલ છે. તે અન ત દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તીથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામાહરૂપ ગ્રહથી મળીઆની પેઠે તે હકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિ:-ન-નથી, ત્રસ્યાં, આ અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિ, સત્યાં–હાતે સતે, અસĚળા–અસત્ તાસ્થિતિ કારણથી અતિરિક્ત ગેાચર–વિષય સંબંધી, ઋજ્જૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, વસંત-પ્રવત્ત'તી—વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે; તનમાવા-અને તેના, અસત્ તૃષ્ણાના અભાવથકી, સર્વત્ર-માપ્તિથી સસ્થાને, સ્થિતમેવ ધ્રુવાસનક્—સુખાસન સ્થિત જ હોય છે, તેવા પ્રકારના પરિભ્રમણૢના અભાવને લીધે. "" इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रतमनंत द्रव्यक्षेत्रका लभवभाव परावतैः समुपक्रांतभ्रांतेरेकछत्री कृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज्जृंभिततृष्णातं कत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतश: परिचित पूर्वानंतशो ऽनुभूतपूर्वा चैकत्वविरुद्ध त्वेनात्यंत विसंवादिन्यपि कामभोगानुबद्धा कथा || " —આચાય'ચૂડામણિ શ્રી અમૃતચ’સૂકૃિત સમયસાર ટીકા,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy