SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત (૧૫૭) પણ બને નહિં. તેમ જીવન નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે–પ્રગટપણુ માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તે નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવું પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિં. તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવ્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિં. બન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે. “ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ....જિનવર પૂજો. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા....જિના શ્રી સંભવ.” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી...પ્રણવ”—શ્રી દેવચંદ્રજી માટે તાત્પર્ય કે ઉપાદાનનું નામ લઈ, જે એ નિમિત્ત છોડી દીએ, તેઓ સિદ્ધિ પામતા નથી, ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદ્દગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવંચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના-આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં. આ અંગે પરમ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટકેલ્કીર્ણ વચનામૃત છે કે – સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ અર્થાતુ-“સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કંઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વસ્ય કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂં સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થહિત ન થવું એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર અવંચક ઉદયથી' એમ કહ્યું એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે –
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy