SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન : પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।। પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ; અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ–પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિએ તેમ નથી અને તેના પ્રતિપાતે કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે,-બીજી તેમ નથી. વિવેચન આ જે આઠ દષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ હોય છે, આવીને પાછી પડી જાય એવી “પણ” હોય, એટલે કે પડી જાય જ પહેલી ચાર પ્રતિ- એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિર પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે અપ્રતિપાતી જ છે, આવ્યા પછી પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી ચાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-બ્રશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ વૃત્તિઃ-પ્રતિપાતયુતા-પ્રતિપાત યુક્ત, ભ્રંશયુક્ત (પાછી પડી જાય એવી), બાવાશ્ચરો-આદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દષ્ટિએ. આ પણ તથાપ્રકારના કર્મવૈચિમને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે; પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી–તેના ઉત્તર ભાવથી-ન ઉત્તરારૂથા- ઉત્તર એટલે પાછળની ચાર દૃષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાવા અપાયયુક્ત પણ છે,-દુર્ગતિના હેતુપણુએ કરીને, પ્રતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે? તે કે-અતિપન-પ્રતિપાતથી ભ્રંશવડે કરીને; નેતાઃ -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દષ્ટિએ અપાયુક્ત નથી. શંકા–શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયા?. સમાધાન-આ દૃષ્ટિના અભાવમાં (પૂ) ઉપાજેલા કામના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવડ કરીને સંભવમાત્રને અધિકત કરીને-અપેક્ષીને “સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રાયેવૃત્તિના વિષષપણાથીઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણી છે. અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અનપાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખના સર્ભાવમાં પણુ, ક્રિયાની ઉપપત્તિ હોત (રજઆત) છે. યોગાચાર્યે જ અત્ર પ્રમાણ છે. (પાકથી વતંદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુ:ખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડ કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy