SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : આયાત્મિક સંરકારજમ, યોગિધર્મ એટલે શું ? (૬૮૭ ) રઘુરાવો ઘો ” અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્ણવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજારૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે આમ યોગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ-આત્મધર્મ. પ૨પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે–આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યું છે, જે સ્વરૂપસ્થિત છે તે ગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મસ્વભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કુલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કુલયોગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથ લાગે છે. (જુઓ પૃ. ૪૯૩, પ૨૧-૫૨૨ ). સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ; ”— સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આત્મવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવસ્તુને વિરોધ આવે તે સર્વ અધમ કર્તવ્ય નથી કરતે. ટુંકામાં તે “આરાધક જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધમને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આત્મપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિરોધ એ વિધિ-નિષેધ આચરી, તે “મહાજને ” પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ” કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મને-મેક્ષમાર્ગને અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ–સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનને જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધને પંથ જાણી, તે કારણેની એક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા એક્ષપંથને આરાધે છે; અને સત્ ચૈતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ આત્મા જેથી પામીએ, એ મેક્ષપંથની રીતિને અનુસરે છે. (જુએ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧, ૪૬૩) આ જે કહ્યો તે મેક્ષમાર્ગરૂપ ગીધર્મમાં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy