SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૬) યોગદષ્ટિસમુચય ___ तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ।। १९९॥ અને બે અવસ્થા તણે, હોતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ, ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૦૦ અર્થ-અને તે અવસ્થાઢયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માનો સ્વભાવપમદ ન્યાયથી તાત્વિક માન્ય કરે. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાના અભાવે સંસારી અને મુક્ત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થને અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માને સ્વભાવ૫મર્દ નીતિથી-ન્યાયથી તારિવ-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદન્તરથી તદન્તરના દુર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત તેનાથી અન્ય વડે કરીને તદ્અન્યને હર કરવારૂપ લક્ષણવાળે છે. ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હેઈ શકે નહિં. આમ અપરિણમીમાં અવસ્થાકયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળે સંસારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે મુકા, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ–અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અર્થરૂપ-તત્ત્વરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે; કારણ કે સંસારી અને મુક્ત એ બે જુદી જુદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એ નિત્ય એકાંતપક્ષ કઈ રીતે ઘટતું નથી. આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુક્ત એ બે અવસ્થાનું ઘટનાનપણું તે જ હોય કે જે આત્માને સ્વભાવોપમ€ તાવિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને બીજે સ્વભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવવૃત્તિ-તમારે ર–અને તેના અભાવે, અવસ્થયના અભાવે, સંસાર-સંસારી, તિચ આદિ ભાવવાળે, મચ્છ-અને મુક્ત,-ભવપ્રપંચ પરમ થકી, પતિ-આ, નિરર્થનિરર્થકશબ્દમાત્ર જ છે. અર્થના અાગને લીધે. તા-તેથી, તથા પ્રકારે, માવોપમર્હ:-સ્વભાવ ઉપમ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળે તેનાથી અન્યથી તદ્અન્યના દૂર કરવારૂપ લક્ષણવાળ એ, અન્નઆનો, આત્માને, ના-નીતિથી, ન્યાયથી શું! તકે- તાવિળતાં તારિક ઈછા પારમાર્થિક માને.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy