SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ સભા દ્રષ્ટિ: અસગાનુષ્ઠાન સતિ સામવૃત્તિપદ (૫૭૯) કલ્યાણ” સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કર્મમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયું હોવાથી-ક્ષીપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષપશમથી જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણુસ્વરૂપ ઉત્કૃષ્ટ સાચા જ્ઞાનનો હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે-ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ. ધામરૂપ બાય સદાય પરમ કલ્યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મેક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વત્ત છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણ” સુવર્ણ કદી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણુસ્વરૂપ જ રહે તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બોધ કદી વિણસે નહિ, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે. એટલે આ નિર્મલ બાધ સતે અત્રે નિરંતર ધ્યાન વત્તે છે, એ યથાર્થ કહ્યું છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ॥ ને સસ્પ્રવૃત્તિપદ અહી, છે અસંગ અનુષ્ઠાન; મહાપથતણું પ્રયાણ જે, આપે પદ નિર્વાણ, ૧૭૫ અર્થ :–અને અહી–તત્વમાગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિપદ વતે છે, કે જે મહાપથ-પ્રયાણુરૂપ હોઈ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ પમાડનારૂં છે. વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સમવૃત્તિ પદ પ્રાપ્ત વર્તે છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત અપુનરાવર્ત પદ પમાડનારું-નિત્ય પદ પમાડનારું છે. અસંગ-અનુષ્ઠાન ઉપરમાં જે સત્યવૃત્તિપદ કહ્યું તે શું ? તેનું અત્ર સ્વરૂપ કહ્યું છે. અહીં તત્ત્વ વૃત્તિ-સંબવૃત્તિપર્વ વેદ-અને અહી એટલે કે તત્વમાગ માં સતપ્રવૃત્તિ ૫૬, શું? તે કે અષાનWારસહિતy -અસંગાનુષ્ઠાન સંરિત સંજ્ઞાવાળું વતે છે; તથા પ્રકારે વરસપ્રવૃત્તિને લીધે. મgruથયા ૨૬-જે અસંગાનુષ્ઠાન મહાપથ પ્રયાણ છે. મના[[નાવણ-અનાગામિ પદાવહ છે, (અપુનરાવર્તા ૫૮ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy