SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૦ ) યોગદૃષ્ટિસંમુચ્ચય તેને અનિષ્ટથી નિવત્તતાં અને ઇષ્ટમાં પ્રવર્ત્તતાં ને ધર્માદિ પુરુષાર્થ ને ખાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેના આસનાદિના અભોગ કરવા, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિ. અને તેના દ્રવ્યનુ તીર્થાંમાં નિયેાજન કરવું, અર્થાત્ તીક્ષેત્રમાં વાપરી નાંખવું, નહિ તે તે પેાતે ગ્રહણ કરે તે તેના મરણાદિમાં અનુમતિને પ્રસંગ આવે. (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાના ધૂપ-પુષ્પાદિ પૂજારૂપ સ’સ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્ધ્વદેક્રિયા કરવી, મૃતકાર્ય કરવું. પુષ્પાથી, અલિથી, વસ્ત્રોથી, અને શેાલન તેંત્રોથી શૌચ-શ્રદ્ધા સમન્વિત એવુ' દેવોનું પૂજન કરવું, ઇત્યાદિ પ્રકારે યથાયેાગ્યપણે ગુરુ-દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિજો—બ્રાહ્મણેા. વિદ્યા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકને પામેલા છે તે વિપ્ર. બે વાર જેને જન્મ થયા છે, અર્થાત્ એક તે સ્થૂલ દેહજન્મની અપેક્ષાએ અને ખીજો સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ. બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવત, સ‘સ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્વજનારૂપ દ્વિજો યથાયેાગ્યપણે પૂજવા ચેાગ્ય છે, સન્માનવા ચેાગ્ય છે, તેમજ તપેાધન એવા યતિએ પણ પૂજનીય છે. યતિ એટલે સચમી પુરુષ, સાધુજન. જેણે મનને તે ઇંદ્રિયાના સયમ કર્યા છે તે યતિ અથવા ‘તિ’. જે જીવરક્ષામાં ને ઇંદ્રિયનિગ્રહમાં યત્નવંત છે તે યતિ. તપ જેનુ' ધન છે તે તપેાધન. અનશનાદિ ખાદ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આભ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપાધન યતિએ નિરતર પરમાદરથી પૂજવા યાગ્ય છે. આમ ગુરુએ, દેવતાઓ, વિષે, અને તપેાધન યતિએ——આ સ† મહાત્માએ જેમ ઉચિત હાય તેમ યથાયેાગ્યપણે પૂજવા ચાગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયત્નવંત ચિત્તથી હાવી જોઇએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઇએ. ⭑ पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सवेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ॥ સ્વકર્મથી જ હણાયલા, પાપી પ્રતિ અત્યંત; ન્યાય અનુકંપા જ-આ, ઉત્તમ ધર્મ મહુત, ૧૫૨ વૃત્તિ:-પાપવિશ્વાસ્થતં-અને અત્યંત પાપવા પ્રત્યે પણ, લુબ્ધક–જ્ઞિકારી આફ્રિ પ્રત્યે પણ, ચર્મનિતૅવ્વસમ્-અત્યતપણે સ્વકમાઁથી હણાયેલા એવા, અનુêવ સત્ત્વેષુ-સત્ત્વા પ્રત્યે અનુક`પા જ, ન્યાયા ન્યાય્ય છે.—નહિં કે મત્સર, ધર્માંડયમુત્તમ:--આ ધ' ઉત્તમ છે,-કારણમાં કાના ઉપયાથી. શ્રી ચાદુિ * " तदासनाद्यभोगश्व तीर्थे तद्वित्तयोजनम् । तद्विवन्याससंस्कार ऊर्ध्वदेह क्रिया परा ॥ "
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy