SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ દીમા દષ્ટિ: તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર (૩૬) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામ વગેરેમાં તે તે યક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિરતારથી વર્ણવ્યા છે. તેમાં કોઇની સ્થિતિ ઓછી હોય છે, કોઈની વધારે હોય છે. કેઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કોઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્રતેજસ્વી હોય છે. કેઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પિતાપિતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાને-વિમાન આદિ પણ ચિત્ર પ્રકારના હોય છે. કારણ કે એમ છે – तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથી ચિત્ર જ હોય; કદી ભિન્ન નગર તણે, મારગ એક જ નય. ૧૧૪ અર્થ –તેથી કરીને તે દેના સ્થાનની સાધનાને ઉપાય, નિયમથી જ, ચિત્રજુદા જુદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગન માગ કદી પણ એક હેય નહિં. વિવેચન અને આમ તે તે સંસારી દેના સ્થાને ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જુદા પ્રકારનું હોય છે. આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરે પ્રત્યે જવાને માર્ગ કદી પણ એક હેય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી વગેરે જુદી જુદી દિશામાં આવેલા શહેરે ભણું જવું હોય, તે તેને રસ્તે પણ જુદી જુદી દિશામાં જતે હેય, એક ન હોય. નહિ તે તે તે નગરનું ભિન્નપણું ઘટે વૃત્તિ –તસ્મા–તે કારણ થકી, તરસાધનાપા :-તેના સાધનને ઉપાય, તે સંસારી દેવના સ્થાનના સાધનને ઉપાય. નિયાચિત્ર ઈશ્વ હિ-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે-7 મિન્નનળrળ ચાટુ-ભિન્ન નગરોને ન હોય, પ. વર્ષ વાવનએક માર્ગ કદી પણ,–તેવા પ્રકારે તેના ભેદની અનુપસિને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy