SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાઇષ્ટિ : ભવાભિન’દીના મહામહ, જન્મ-મરણાદિ દુઃખ જન્મ મરણ વ્યાધિ જા, રોગ શાક દુ:ખવ‘ત; ભવ જોતાંય ઉદ્વેગ ના, અતિ માહથી લહત, ૭૯ અર્થ :— જન્મ, મરણુ, જરા, વ્યાધિ, રંગ, શેક વગેરેથી ઉપદ્રવ પામતા સંસારને દેખતાં છતાં, તે અતિ મહને લીધે ઉદ્વેગ પામતા નથી ! વિવેચન “ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેના એ કહ્યા, રાગ દ્વેષ અણુહેતુ.”—શ્રીમદ્ રાજચદ્રજી (૩૦૩) ઉપરમાં ભવાભિનઢી જીવ વિપરીત મતિવાળા, ઊધી બુદ્ધિવાળા હાઇ, હિત–અહિતના વિવકમાં અધ હાય છે, અને માત્ર વમાનને જ જોનારા હાય છે,-એમ કહ્યું. આમ અવિવેકી વર્તમાનદશી હાવાથી જ, સંસારનું પ્રગટ દુઃખદ સ્વરૂપ મહામહનુ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, વિલસિત ઉલટા તેમાં જ ગાઢ માડુ પામે છે! પુન: પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવુ, પુનઃ પુન: જનનીના જઠરમાં ગર્ભવાસ કરવા, પુનઃ પુન: ચારે ગતિમાં રખડવું, એવી અત્યંત પ્રગટ દુઃખમય અવસ્થાએ પુન: પુન: આ સૉંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સ'સારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉર્દુ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાને વિચાર કરતા નથી, એટલું જ નહુિ પણ તેને ઉલટા દૃઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવુ તેવુ આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહુામેાહુનું વિલસિત છે. કારણ કે— અશુચિમયમાતાના ઉદરમાં જાણે તપશ્ચર્યાં કરતા હોય એમ નવ માસ પર્યંત ઉધે માથે લટકતા રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકલ્પ્ય ને અવશ્ય હેાય છે. એવી જન્મ દુઃખ વેદના પ્રત્યેક જન્મમાં—ભવમાં વેદવી પડે છે. કહ્યુ છે કે જેના બન્ને છેડે અગ્નિ સળગાવેલા છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હે જીવ! તું જન્મ-મૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! '* શ્રીમદ્ રાજચ'દ્રજીનું પરમ સંવેગરગી વચનામૃત છે કે— * કથ ના હેરાનગતી અનુભવતા, વીમાના વિદેખતાં છતાંય, મર્વ-સંસારને, સોવ્રુિત્તે-ઉદ્વેગ પામતા નથી,—આના થકી ઉદ્વેગ પામતા નથી એમ પ્રક્રમ છે—ચાલુ સંબંધ છે, અતિમોતો--અતિ માહરૂપ હેતુને લીધે. 66 दीप्तोभयामवातारियारूवरगकीदवत् । નમૃત્યુલમાજિકે શરીરે વત મીલ ॥” –શ્રી ગુણભદ્રસ્વામીકૃત આત્માનુશાસન “ પુત્તવિ નનન પુનવ મળ, પુસપિ અનનીગરે ક્ષયને ”—શ્રી શકશચાર્ય
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy