SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ (272) ગદષ્ટિસમુચ્ચય એટલે તેને આ સ્થૂલ બંધ તત્ત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, ઉપરછલે ને પડછાયા જે (Shadow-like) હોય છે. આમ આ સ્થૂલ બેધ તવન-પરમાર્થને આભાસ આપે એવો હોય છે, પણ તત્વથી ચિત્તમાં અંત:પ્રવેશરૂપતત્ત્વાભાસરૂપ સજજડ છાપ લાગી જાય એવો હતો નથી. એથી કરીને ઉપર ઉપરથી તે સ્કૂલ બોધ આ જીવને આત્મા-કર્મ અપાય આદિનો બંધ હોય એવું દેખાય છે, એવો આભાસ ઉપજે છે. કારણ કે શ્રતશ્રવણાદિ દ્વારા તેવા સ્થૂલ પ્રકારે જાણ તેવી વાત પણ તે કરે છે; પરંતુ તેને તે બોધ તત્વથી નહિ હેઈ, ભ્રાંતિરૂપ હોય છે, ખરેખરી અંત:પ્રતીતિરૂપ હોતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં વર્તતો જીવ હજુ અજાણતાં પણ તેવા પ્રકારના નાનાવિધ પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી કરીને એમ જણાય છે કે હજુ તેને નરકાદિ અપાયનું તત્વથી દર્શન થયું નથી; જે થયું હોત તે તે ભીષણ નરકાદિ ગતિના અનંત દુઃખથી ભય પામીને તે તે પાપથી ડરતો રહી–પાપભીરુ રહી, તથા પ્રકારની પાપપ્રવૃતિમાં અજાણ્યું પણ પ્રવર્તત નહિં, તેથી દૂરથીજ ભાગત. अतोऽन्यदुत्तरास्वस्मात पापे कर्मागसोऽपि हि / तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि // 7 // પદ અઘસઘથી, અન્ય વેધસંવેદ્ય તે તે છેલ્લી ચાર તે, દષ્ટિમાંજ સંવેદ્ય, આથી કર્મ અપરાધથી, પાપકર્મમાં કેય; તસ લેહુપદ ન્યાસ સમ, વૃત્તિ કવચિત જ હોય. 70 અર્થ –આ અવેવસંવેદ્ય પદથી અન્ય એવું જે વેદ્યસંવેદ્ય પદ છે, તે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેવસંવેદ્ય પદને લીધે, કર્મના અપરાધથી પણ પાપમાં જે કવચિત્ પ્રવૃત્તિ હોય, તે તે પણ તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે. વિવેચન એ પદ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃતિ; તપ્ત લેહ પદ ધૃતિ સમીજી, અંતસમય નિવૃત્તિ મનમેહન”—. સજઝા. 4-7 કૃત્તિઃ-તોડવત્ ઉત્તરા—આનાથી એટલે પ્રક્રમથી પ્રસ્તુત અદ્યસંવેદ્ય પદથી અન્ય તે વેદ્ય વિદ્ય પદઉત્તર એટલે સ્થિર આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં હોય છે. તમા-આના થકી, આ દ્યસંવેદ્ય પદ થકી, -પાપકર્મમાં, હિંસા આદિમાં, વર્માનગરિ હિ-કમને અપરાધથી પણ, (કમના દોષે કરીને પણ ), શું ? તે કે-તોપભ્યાસતુન્યા કુત્તિઃ-લેહ૫૬ન્યાસ તુલ્ય વૃત્તિ, એટલે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી વૃત્તિ,-અપાયમાં–અપાય થાય ત્યારે સંવેગસાર-સંવેગપ્રધાન એ સી, વિદ્ય-કવચિત હોય તે હોય, પણ પ્રાયે તે હોતી જ નથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy