SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) યોગદષ્ટિસમુચ્ચય અને આમ આ ગાંઠ ભેદાઈ ગયા પછી, આ જીવ ગાઢ રાગ-દ્વેષ પરિણામ છોડી દે છે, તેના રાગાદિ મંદ પડી જાય છે, દુષ્ટ અનંતાનુબંધી કષાય ચોકડી સમયફલ્વાદિ નષ્ટ થાય છે, દશનામહ ર થાય છે અને સમ્યગદર્શન પ્રગટે છે. કારણ કે થોડું પણ સુપરિશુદ્ધ એવું સમ્યગ્રજ્ઞાન સાચા અસંમોહને હેતુ હોય છે. (ગાથા-૪). સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પપપૃથફવમાં એટલે કે ચારિત્રમેહનીય કર્મમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ક્ષય થયે, દેશવિરતિપણું સાચું ભાવશ્રાવકપણું પ્રાપ્ત થાય છે; અને તે ચારિત્રમેહમાંથી સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ક્ષય થયે, સર્વવિરતિપણુંસાચું ભાવસાધુપણું તથા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી અનુક્રમે પ્રાપ્ત થાય છે. (ગાથા-૫). ઇત્યાદિ અત્રે સંક્ષેપથી કહ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ કર્મગ્રંથ આદિ સ્થળ જેવા. આકૃતિ-૨ ગ્રંથિભેદ પ્રથમ અપૂર્વકરણ -- સમ્યકત્વ. -> બીજું અપૂર્વકરણ આજ્યકરણ ક્ષપકશ્રેણી ૮ ૯ ૧૦ ૧૨ ગુણ સ્થા ન| સમુદ્રઘાત કેવલજ્ઞાન, શૈલેશીકરણ - મોક્ષ – અત્રે એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે તીવ્રસવેગથી અપર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે ઉપરોક્ત પલ્યોપમ–સાગરોપમાદિ જેટલી કમ સ્થિતિ પણ શીઘ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત્ તે જ ભવે પણ મેક્ષ પામે. જે જીવને પુરુષાર્થમાં મંદતા હોય તો તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે. જલદી પુરુષાર્થ રાવે તે જલદી મેક્ષ પામે, માટે ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવે નિરંતર સત્ય પુરુષાર્થશીલ રહેવું જોઈએ એમ જ્ઞાની પુરુષોના ઉપદેશને આશય સમજાય છે. કારણ કે અન્યકરણથી ઊર્વ–આગળમાં બીજે (ગસંન્યાસ) યોગ હોય છે, એટલા માટે
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy