SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સામર્થ્યોગ (35) તેનું સમાધાન એમ છે કે-આ પ્રતિભ જ્ઞાન ગ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ બીજું કોઈ પણ જ્ઞાન નથી. જેમ અરુણોદય રાત-દિવસથી જૂદો નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી; તેમ આ પ્રતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે બેથી જૂ પણ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી. (1) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવો કોઈ ઉત્કૃષ્ટ પ્રતિભાસંપન્ન લોપશમ હોય છે, કે તેને શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઈ શકે નહિં. (2) તેમ જ તે કેવલજ્ઞાન પણ ન કહેવાય, કારણ કે પ્રાતિજ જ્ઞાન લાપશમિક-ઉપશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન તે ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રતિભા જ્ઞાનમાં સર્વ દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બનેને પ્રગટ ચેકો ભેદ છે. ચેનાઈઝનિતઃ સ તુ કાતિમëજ્ઞિત: લડ્યા વિનાત્રિખ્ય વઘુ થઇ છે " –શ્રીઅધ્યાત્મઉપનિષદ અને અન્ય દર્શનીઓને પણ આ “પ્રાતિજજ્ઞાન” સંમત છે. તેઓ તેને “તારક - નિરીક્ષણ આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારું. નિરીક્ષણ એટલે દષ્ટા પુરુષનું સાક્ષાત્ દર્શન. આમ આ પ્રાતિજ જ્ઞાન માનવામાં કઈ પણ દોષ નથી, એટલે કે તે માનવું યથાર્થ છે, સમ્યફ છે. સામગના ભેદ કહી બતાવવા માટે કહે છે - द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः / क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु // 9 // એહ સામર્થના , પ્રકાર છે આ ખાસ પહેલે ધર્મસંન્યાસ ને, બીજે યોગસંન્યાસ, ક્ષાપશમિક હેય જે ધર્મો તેહ કહોય; કાય આદિનું કર્મ તે, યોગ અત્ર કથાય. 9 વૃત્તિ –દ્રિષા બે પ્રકારને વય-આ, સામયોગ છે. કેવા પ્રકારે? તે કે-ધર્મસંન્યાસયોગસંન્યાહજ્ઞિતા-ધર્મસંન્યાસ અને સંન્યાસ સંજ્ઞાથી (નામથી) યુક્ત આની ધર્મસંન્યાસ’ સંજ્ઞા ઉપજી છે, એટલા માટે ધમસન્યાસસંતિત. એમ “ગસંન્યાસ' સંજ્ઞા આની ઉપજી છે, એટલા માટે યોગસંન્યાસસંતિ. અને અહીં તેવા પ્રકારે તે સંજ્ઞાત થાય છે-બરાબર ઓળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ પ્રહાય છે. આ ધર્મો કયા? તે માટે કહ્યું કે સાવામિ ધર્મા:–ક્ષાપશમિક તે ધર્મો. ક્ષયે પશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્મો છે. - થોડાઃ જાયાર્મિતુ-અને યોગે તે કાયઆદિના વ્યાપારે છે,-કાએ સર્મકરણ આદિ. .. -
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy