________________
કરણલબ્ધિ છે. જેનાથી કર્મોની સ્થિતિનું અને એના રસનું ખંડન કરવાની શક્તિ ઉપજે એવું આત્મસામર્થવિશેષ તે કરણલબ્ધિ છે. જેને અંતમૂહુર્તમાં સમ્યગદર્શન થવાનું હોય એવા ભાગ્યશાળી જીવને જ આ કરણલબ્ધિ પ્રાપ્ત થાય છે. આ જીવના પરિણામ સમયે સમયે નિર્મળ ને નિર્મળ થતા જાય છે અને આત્મા ઉપર લાગેલ મિથ્યાત્વના પડળ ખરી પડે છે અને અંતર્મુહુર્તમાં જ તેને સમ્યક્ત્વ પ્રગટે છે. જીવ ત્રણ કરણ - યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરીને ગ્રંથિ એટલે અર્થાત્ અનાદિકાળથી જીવને વળગેલી રાગદ્વેષરૂપી ગાંઠોને સર્વથા ભેદીને સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે.
૧૩૮
પાંચ લબ્ધિ છે