SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પાપોથી નિવૃત્ત થાય છે એ દેશવિરતિ છે. અર્થાત્ દેશથી હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. સર્વવિરતિ - જ્યારે ચારિત્રમોહનીય કર્મ સર્વથા નિર્બળ બને છે અર્થાત્ સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ એ સર્વવિરતિ. આ ચાર પ્રકારમાં વહેંચાયેલા યોગમાર્ગના અધિકારીઓમાં યોગ્યતા એકસરખી હોતી નથી. એમાં તારતમ્યતા હોય છે. આવી રીતે અપુનબંધક અવસ્થાથી મોક્ષપ્રાપ્તિ સુધી યોગકાળના ચાર ભેદ પડે છે. અપુનબંધક અવસ્થાથી માંડી ગ્રંથિભેદ થવા સુધી એટલે જ સમ્યગ્દષ્ટિ સુધી એક કાળ, સમ્યગ્દષ્ટિથી માંડી દેશવિરતિ સુધીનો બીજો માળ, દેશવિરતિથી માંડી સર્વવિરતિ એટલે પૂર્ણ ચારિત્ર સુધીનો ત્રીજો કાળ અને પૂર્ણ ચારિત્રથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધીનો ચોથો કાળ – આમ, યોગકાળના ચાર ભાગ પડે છે. પહેલા વિભાગમાં એટલે કે અપુનબંધક અવસ્થામાં કષાયની તીવ્રતા ઓછી થાય છે પણ દર્શનમોહનીય કર્મનું જોર હોવાથી જીવને હજુ જડ - ચેતનનું ભેદજ્ઞાન થતું નથી. બીજા ભાગમાં દર્શનમોહનીય કર્મ ઓછું થાય છે. ગ્રંથિભેદ થાય છે પણ ચારિત્રમોહનીય કર્મ વિદ્યમાન હોવાથી વિરતિ પ્રગટતી નથી. ત્રીજા ભાગમાં પણ ચારિત્રમોહનીય કર્મ ઓછું થતાં વિરતિ પ્રગટે છે પણ અંશત: જ્યારે ચોથા ભાગમાં પૂર્ણ ચારિત્ર પ્રગટે છે. આ રીતે અપુનબંધક, સમ્યગુ દૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ આ યોગાધિકારીઓના ચાર વર્ગ છે. આમ ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સર્વ અધિકારીઓના પોતપોતાના ભૂમિકાને અનુરૂપ હોય એવી શાસ્ત્રાજ્ઞાને અનુસરીને કરાયેલ સર્વ ધર્મવ્યાપાર અથવા તો સદનુષ્ઠાન યોગ છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિ ધર્મવ્યાપારમાં સર્વદર્શનસંમત મુખ્યપણે યોગનાં ત્રણ લક્ષણો બતાવે છે – तलुक्खणजोगाओ वित्तविव्वित्ती निरोहओ चेव । तह कुसलपवित्तीए मोक्खम्मि य जोअणाओ त्ति ।।२२।। યોગશતક અર્થ : સદ્ અનુષ્ઠાનમાં સર્વદર્શનસંમત યોગનાં લક્ષણો - ચિત્તવૃત્તિનો અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy