SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાકાળમાં અધિકાંશ સમય એ યોગસાધના અર્થાત્ ધ્યાનમાં જ હતા. એમના સેંકડો શિષ્યો કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની તેમજ પૂર્વધર મુનિ પણ હતા. ધ્યાનની વિશિષ્ટ સાધનાથી જ આ પ્રાપ્તિ થઈ હતી. ભ. મહાવીરના મુખેથી વર્ણવેલા અને ગણધરો દ્વારા રચાયેલા આગમોમાં યોગ અને ધ્યાન વિશે વર્ણન મળી આવે છે. આગમોમાં આચારાંગનું સ્થાન સૌથી પ્રથમ છે. એમાં ભ. મહાવીરની સાધનાપદ્ધતિનું વર્ણન છે. एतेहिं मुणी सयणेहिं, समणे आसि पतेरस वासे । રારૂં વિનંપિ નયમાણે, અપ્પમત્તે સમાહિ‚ જ્ઞાફ ।।૬/૨/૪।। આચારાંગ અર્થ : ભગવાન મહાવીર રાતદિવસ એકાગ્ર અને અપ્રમત્ત ભાવથી સમાધિપૂર્વક ધ્યાન કરતા હતા. તે મયં પવેસિયા જ્ઞાફ ।।o//।। આચારાંગ અર્થ : તેઓ સ્વયં પોતાના આત્માને વૈરાગ્ય ભાવમાં પ્રવેશ કરાવીને ધર્મધ્યાન, શુક્લધ્યાન ધ્યાવતા હતા. अइअच्च सव्वतो संग ण महं अस्थिति इति एगोमंसि ||६ / ३८।। આચારાંગ અર્થ : બધા પ્રકારના સંગનો ત્યાગ કરી મારું કોઈ નથી, હું એકલો છું, એવી ભાવના કરે. આવી રીતે આચારાંગમાં આપણને ધ્યાનયોગ, ભાવનાયોગનું વિવરણ મળે છે. બીજા આગમ સુત્રકૃતાંગ, ભગવતી અને સ્થાનાંગમાં પણ પ્રકીર્ણ રૂપથી ભાવના, આસન, ધ્યાન આદિનો નિર્દેશ મળે છે. સૂત્રકૃતાંગમાં સમાધિયોગ, ધ્યાનયોગ, અધ્યાત્મયોગ, ભાવનાયોગ જેવા શબ્દો પ્રયુક્ત થયા છે. भावणाजोग सुध्दप्पा, जले णावा व अहिया । ખાવા ય તીર સમ્પન્ના, મહુવા તિવૃત્તિ ।।//।। સૂત્રકૃતાંગ અર્થ : જેનો આત્મા ભાવનાયોગથી શુદ્ધ છે તે પાણીમાં નાવ સમાન કહેવાયો છે. તે કિનારે પહોંચેલી નૌકાની જેમ બધાં દુ :ખોથી મુક્ત થઈ જાય છે. अण्णे હજુ જામમોના સોમસિ ।।૨/ર/રૂ૪।। સૂત્રકૃતાંગ અર્થ : કામભોગ મારાથી ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું. પદાર્થ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૦
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy