________________
અધિકારી યોગ્ય સાધક અંતરાત્મા છે. ધ્યેય - પરમાત્મા છે, ધ્યાન - જ્ઞાનની એકાગ્રતારૂપ છે. સમાપત્તિ એ ત્રણેની એકતારૂપ છે. સતત પરમાત્માના ધ્યાન વડે ચિત્તવૃત્તિઓનો વિલય થવાથી પરમાત્મા સાથે અભેદ-એકતાનો અનુભવ થાય તેને સમાપત્તિ કહે છે.
પૃ. ૭ યોગસાર વિવેચનકાર : આચાર્ય વિજયકલાપૂર્ણસૂરિ 4. પૃ. ૭, ‘સમયસાર'; - અનુવાદક શ્રી હિંમતલાલ શાહ 5. ઉપાધ્યાય યશોવિજયજી યોગનું આ જ લક્ષણ બતાવતાં કહે છે –
मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारताडस्य ।।१।।
દ્વાન્નિશદ્ – દ્રાવિંશિકા - ૧૦ બત્રીસી અર્થ : મોક્ષની સાથે યોગ અર્થાત્ સંબંધ કરાવવાના કારણે જ યોગનું નિરૂપણ થાય છે. એટલે યોગનું લક્ષણ થાય છે - મોક્ષની મુખ્ય હેતુભૂત એવી પ્રવૃત્તિ.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૭