________________
(૧) ગોત્રયોગી ઃ જેઓ નામમાત્રથી યોગી છે. જેમના પૂર્વજો યોગની સાધના
કરતા હોય તેથી તેમના ગોત્રનું નામ યોગી હોય પણ યોગના ગુણો જેમનામાં ન હોય તે ગોત્રયોગી કહેવાય છે. કુળયોગી ઃ જે યોગીના કુળમાં જન્મ્યા હોય અને યોગ પ્રાપ્તિના પ્રારંભના ગુણો જેવા કે સર્વત્ર અદ્વેષ, દયાવાન, વિનીત, જ્ઞાનવાન, ઇન્દ્રિયદમન,
પરોપકાર, ઉદારતા વગેરે ગુણોથી યુક્ત હોય. (૩) પ્રવૃત્તચક્રાયોગી યોગના પ્રારંભિક ગુણોથી યુક્ત હોય અને યોગની સાધના
શરૂ કરી દીધી હોય. ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સાધ્યો હોય અને સ્થિરતા અને સિદ્ધિયોગમાં પ્રવૃત્તિ કરનારા હોય. યોગના કારણભૂત બુદ્ધિના આઠ ગુણ - શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, અર્થવિજ્ઞાન,
તત્ત્વજ્ઞાનને પામેલા હોય. (૪) નિષ્પન્નયોગી ઃ જેઓ યોગદશા પ્રાપ્ત કરી ચૂક્યા છે.
આ ચાર પ્રકારના યોગીમાંથી કુળયોગી અને પ્રવૃત્તચક્રયોગી આ બે પ્રકારના યોગી માટે ઇચ્છાયોગાદિ ત્રણ યોગોનું સ્વરૂપ સમજાવ્યું છે. કારણ કે ગોત્રયોગી તો નામમાત્રથી યોગી છે. એમની યોગસાધનાની કોઈ ઇચ્છા કે પ્રવૃત્તિ નથી. જ્યારે નિષ્પન્નયોગીઓએ તો યોગ સાધી લીધો છે. અહીં ત્રણ પ્રકારના યોગ સમજાવ્યા છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ ઉપાધ્યાય યશોવિજયજી એ એમના ‘દ્વાત્રિશદ દ્વાર્નાિશિકા'ના ૧૯મી દ્વાäિશિકા-યોગવિવેક દ્વાáિશિકાની પહેલી જ ગાથામાં આ ત્રણ પ્રકારના યોગ કહ્યા છે. इच्छांशास्त्रं च समार्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् । गीयते योगशास्त्राज्ञैनिर्व्याजं यो विधीयते ।।१९.१।।
યોગવિવેકદ્રાવિંશિકા (૧) ઈચ્છાયોગ : યોગમાર્ગ માટે ઇચ્છાયોગ એ પ્રથમ સોપાન છે. જેને
શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય, એ માટે સદ્ગુરુ પાસેથી આગમનું શ્રવણ કર્યું હોય પરંતુ પ્રમાદના કારણે ખામીવાળી એટલે કે અવિધિદોષવાળી ધર્મક્રિયા કરતો હોય એવો ધર્મયોગ એ ઇચ્છાયોગ યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૧૧