SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિકી પ્રવૃત્તિ છે માટે તેનો સ્થાનયોગમાં સમાવેશ થાય છે. જાપ મુખ્યત: વાચિક છે. માટે ઉર્ણયોગમાં સમાવેશ થાય છે. તત્ત્વચિંતન માનસિક પ્રવૃત્તિ છે, માટે અર્થયોગમાં સમાવેશ થાય છે. એવી જ રીતે ભાવનાનું પણ ભવ્ય - સમાન વિષયપણું હોવાથી સ્થાન, ઉર્ણ અને આલંબનમાં જ યથાક્રમ અંતર્ભાવ થાય છે. જેનો વારંવાર અભ્યાસ (ભાવના) કરવાનો હોય તે ભાવ્ય કહેવાય. અર્થાત્ અહીં દેવસેવા વગેરે ભાવ્ય છે. તેથી બંનેનું ભાગ્ય એક હોવાથી બંનેના સ્થાનાદિ ભેદો પણ એકસરખા છે. ત્રીજો ધ્યાનયોગ આલંબનયોગમાં અન્તભૂત થાય છે. સમતાયોગમાં અનુકૂલ, પ્રતિકૂલ સંયોગોમાં સમભાવ હોવાથી અને સંકલ્પ વિકલ્પનો ક્ષય થવાથી તેનો નિરાલંબન યોગમાં અંતર્ભાવ થાય છે. છેલ્લા વૃત્તિસંક્ષય યોગમાં મનની-સંકલ્પ વિકલ્પરૂપ વૃત્તિઓનો નાશ થવાથી અને શરીરનું હલનચલન પણ બંધ થતું હોવાથી તેનો પણ નિરાલંબન યોગમાં અંતર્ભાવ થાય છે. તેથી જ દેશચારિત્રી અને સર્વચારિત્રીવંતને સ્થાનાદિ યોગની પ્રાપ્તિ થાય છે. દેશ અને સર્વ ચારિત્રથી રહિત એવા સમક્તિવંત અને માર્ગાનુસારી ગુણવંત આત્માઓને માત્ર યોગબીજ જ હોય છે. યોગબિંદુમાં કહ્યું છે - अपुनर्बंधकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મિવિનીરુપો, નિશ્ચયેતો રહ્ય તુ તારૂદ્રા યોગબિંદુ અર્થ : અપુનબંધકને(અહીં અપુનબંધક એટલે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો)યોગ વ્યવહારથી તાત્ત્વિક છે અને અધ્યાત્મ, ભાવનારૂપ યોગ નિશ્ચયનયથી તાત્ત્વિક છે. સ્થાનાદિ યોગોના ભેદ આ પ્રમાણે સ્થાનાદિ યોગોના અધિકારી કોણ હોઈ શકે એ સમજાવી હવે એના ભેદ પ્રભેદ બતાવે છે. इक्किक्को य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । રૂછી - પવિત્તિ - fથર - સિદ્ધિ મેચ સમયની જા યોગવિંશિકી સ્થાન આદિ દરેક યોગને તત્ત્વદૃષ્ટિથી વિચારતાં એક એકના ચાર ભેદ થાય છે. તે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ એમ શાસ્ત્રમાં કહ્યા છે. અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy