SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પ્રવૃત્તિ આશય : प्रवृत्तिः प्रकृतस्थाने यत्नाऽतिशयसम्भवा । ચાઇfમહાપરહિતા વેત પરિપાતિ સ્થિT ૨૦.૨૨ાા - યોગલક્ષણ દ્વાáિશિકા અર્થ : પ્રસ્તુત ધર્મસ્થાનમાં વિશેષ પ્રકારના પ્રયત્નથી ઊભી થયેલી અન્ય અભિલાષશૂન્ય સ્થિર ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિ રૂપે જાણવી. પ્રવૃત્તિ આશય એટલે જે ધર્મસ્થાનકને સિદ્ધ કરવાનો પ્રણિધાન (સંકલ્પ) કરેલ છે તે ધર્મસ્થાનકમાં શાસ્ત્રમાં જે રીતે વિહિત હોય એ પ્રમાણે અર્થાત્ બધી વિધિઓ જળવાઈ રહે એ પ્રમાણે કરતો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ આશય છે. પ્રયત્નાતિશય એટલે તે ધર્મસ્થાનમાં પ્રણિધાનકાલીન પ્રયત્ન કરતાં અધિક પ્રયત્ન કરવો તે પ્રયત્નાતિશય છે. તે પ્રયત્નાતિશય શીઘ્ર ક્રિયા-સમાપ્તિ થાય એવી ઇચ્છાદિ ઉત્સુકતાથી રહિત હોય છે. પ્રયત્નાતિશયમાં વધુ વીર્યસ્કુરણ, વધુ એકાગ્રતા, વધુ ઉલ્લાસ હોય છે. ૩. વિક્રૂજય આશય : વિપ્ન એટલે ધર્મમાં અંતરાય. વિપ્નનો જય જેનાથી થાય તે વિનજય. વિપ્ન ત્રણ પ્રકારના હોવાથી વિધ્વજય પણ ત્રણ પ્રકારનો છે. જે વ્યક્તિમાં પ્રવૃત્તિ આશય પ્રગટ્યો હોય તે સમ્યગૂ પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ થાય છે અને તે પ્રવૃત્તિના અભ્યાસના અતિશયથી ધર્મમાં અંતરાય કરનાર એવાં ત્રણ પ્રકારનાં વિક્નોનું નિવર્તન કરે તેવો આત્મપરિણામ પેદા થાય છે તે વિજ્ઞજય આશય છે. बाह्याऽन्ताधिमिथ्यात्व जयव्यङ्ग्याशयात्मकः । વંટ - ૨ - મોહાનાં નર્વિનય સમ: T૨૦.રૂપા - યોગલક્ષણ ધાર્નિંશિકા અર્થ : બાહ્ય વ્યાધિ, આંતરિક વ્યાધિ અને મિથ્યાત્વ આ ત્રણ ઉપર મેળવેલ વિજયનો સૂચક એવો આશય વિધ્વજય કહેવાય છે. તે કંટક-જ્વર-મોહના જય સમાન છે. પ્રણિધાન આશય અને પ્રવૃત્તિ આશયના પ્રભાવે અધિકૃત ધર્મસ્થાનકમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy