SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ આનંદદાયક સમાધિદશા પ્રગટે છે.) યોગની સાધના માટે શારીરિક સ્વાસ્થ પણ અપેક્ષિત છે. એના માટે આહાર કેવો હોવો જોઈએ તો શુષ્ક – નીરસ એટલે જે આહાર શરીર, ઈન્દ્રિય અને મનને વિકૃત ન કરે તેવો આહાર લેવો. એટલે અહીં આચાર્ય હરિભદ્રસૂરિ યોગીને લેવાની ભિક્ષા સર્વસંપન્કરી હોવી જોઈએ એમ કહે છે. સર્વસંપત્કરી ભિક્ષા એટલે નિર્દોષ અને શુદ્ધ આહાર જે સાધકના વર્તમાન અને ભાવિ બંને જીવનને શ્રેય ભણી લઈ જનાર હોય. ભિક્ષા આપનાર અને લેનાર બંનેમાંથી કોઈમાં દોષ પોષનાર ન હોય. એવી જ રીતે એ ભિક્ષા વણલપ જેવી હોય એટલે કે એ ભિક્ષા સુધા-પિપાસા જેવી અનિવાર્ય શારીરિક જરૂરિયાતો નિવારવા પૂરતી જ લેવાની હોય, સ્વાદ કે ભોગની દૃષ્ટિએ લેવાની ન હોય. સાધક યોગમાર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ અનેક પ્રકારની રત્નાદિ લબ્ધિઓ તેમજ 8 અણિમા અને અમોષધિ જેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ બધી લબ્ધિઓથી યુક્ત યોગી અપ્રમત્તપણે વર્તે ત્યારે તે પૂર્વસંચિત અશુભ કર્મોનો ક્ષય કરે છે અને શુભ કર્મ બાંધે છે જે પરંપરાએ મોક્ષગામી બને છે. અહીં માત્ર કાયિક ક્રિયા દ્વારા સાધના કરતાં શું પરિણામ આવે અને ભાવના સહ સાધના કરતાં શું પરિણામ આવે એનું સ્પષ્ટીકરણ પ્રસિદ્ધ એવા મંડૂક એટલે કે દેડકાનું દૃષ્ટાંત આપતાં કરે છે. कायकिरियाए दोसा खविया मंडुक्कचुन्नतुलू त्ति । ते चेव भावणाए नेया तच्छारसरिस त्ति ।।८६।। યોગશતક અર્થ : કાયિક ક્રિયા દ્વારા ક્ષીણ કરાયેલ દોષો દેડકાના ચૂર્ણ સમાન સમજવા અને તે જ દોષો જ્યારે ઉત્કૃષ્ટ ભાવનાથી (અધ્યવસાયના બળે) ક્ષીણ થયા હોય ત્યારે તે દેડકાના ક્ષાર-ભસ્મ સમાન સમજવા. જેમ મંડૂક (દેડકા)નું શરીર ચૂર્ણ રૂપે માટીમાં મળી જાય છે પણ વરસાદ આદિનો યોગ મળતાં માટીમાંથી કે શરીરના અંશોની સજીવ દેડકા રૂપે પુનઃ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન ૭૫
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy