SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મસીડીઓ કેવી હોય છે, તે વર્ણવી હોત તો સાધકને આગળ-આગળનો ખ્યાલ પહેલાંથી આવી જાત. આત્મ શુદ્ધિ થતા... આત્મિક ગુણોનું પ્રગટીકરણ સાધકને આત્માનંદની અનુભૂતિ કરાવે છે. આત્મિક આનંદ જ પરમાનંદ છે. એની પ્રાપ્તિ માટે જ યોગમાર્ગ છે. આવો યોગમાર્ગ જેમ જેમ સમજાતો જાય અને પછી જેમ જેમ અનુભૂતિમાં આવતો જાય, તેમ તેમ સાધક મોક્ષની દિશામાં આગળ વધતો જાય છે. આ રીતે યોગમાર્ગને મોક્ષમાર્ગ કહી શકાય. એ રીતે યોગોપાસના એ મોક્ષપાસના છે. યોગની અષ્ટ દૃષ્ટિઓનો પરિચય બેને આપ્યો છે, એ આઠ દૃષ્ટિઓ આત્મામાં થતા ઉઘાડને વધુ સ્પષ્ટ કરવા માટેની છે. અષ્ટાંગ યોગ અને અષ્ટદૃષ્ટિઓના યોગની બંને દિશાઓ જુદી જુદી જ વસ્તુઓ વડે મહર્ષિ પતંજલિએ કાય-યોગ, વચનયોગ અને મનોયોગના ત્રણે યોગોને અષ્ટાંગયોગથી વર્ણવીને દેહથી મનના ધરાતલ ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે પૂ. હરિભદ્રસૂરિ મહાપુરૂષે આત્મામાં થતા કર્મોના ક્ષય-ક્ષયોપશમથી પ્રગટતા બોધના પ્રમાણને અષ્ટ દૃષ્ટિઓની વ્યવસ્થા સમજાવી છે. આન્તરિક અને આત્મિક કક્ષાની બધી વાતો કરી છે. ખૂબ જ અભિનંદન આપું છું રશ્મિબેન ભેદાને, જેમણે ઘરગૃહસ્થી સંભાળીને પણ આ દિશામાં પુરુષાર્થ કર્યો છે. યોગરસિક અનેક આત્માઓના આ ગ્રંથ યોગમાર્ગે આગળ વધવામાં અને અંતે મોક્ષપ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં ઉપયોગીસહયોગી બનશે. ધર્મલાભના શુભ આશીર્વાદ... IX - પંન્યાસ શ્રી અરૂણવિજયજી મહારાજ
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy