________________ 390 જ્ઞાની પુરુષ (ભાગ-૨) બહુ ખોટું થયું. આવું ના હોવું જોઈએ. બાકી મારા જ્ઞાનમાં તો કોઈ મરતું જ નથી ! (પૂજ્ય નીમાં સંપાદિત વાણીમાંથી.) મહાસતીનું સ્વરૂપ સતીઓએ પતિની સાથે પવિત્ર જિંદગી ગાળી જગતને સતીના આદર્શ દેખાડ્યા. સીતાએ રામ સંગ ચાલી નીકળી, રાજવૈભવ કરતા પતિસેવા પ્યારી ગણી ને સીતાજી મહાસતી ગણાયા. આ કળિકાળમાં પુજ્ય હીરાબાની જોટે તો કોઈ સતયુગની સતીય ના આવી શકે ! પરમ પૂજ્ય દાદાશ્રીના જગત કલ્યાણના કાર્ય માટે પોતાની જિંદગીના ખીલેલા ફૂલના દિવસો પતિના વિરહોમાં પણ હસતે મુખે જગતને ન્યોછાવર કર્યા. દાદાશ્રીને મહાન પદને વરાવવા પૂજ્ય હીરાબાની મૂક કુરબાની સામાન્ય જનને જડે કે ના જડે, પણ અધ્યાત્મની તવારીખમાં પૂજ્ય હીરાબાના ત્યાગ, સેવા ને સમર્પણતાનું અદ્ભુત સ્વરૂપ અંકાયેલું રહેશે.