SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) એનું નામ કહેવાય કે જીવ મરે તોય પ્રેમ રહી શકે છે. એટલે આ બધું સ્વાર્થનું રડે છે. તે એ ગયા પછી જ રડે, નહીં તો ખરું રડવું આવતું હોય તો પહેલેથી રડવું આવે કે હવે શું થશે મારું ? આ તો બધું ઠીક છે, લૌકિક કહેવાય. હું નાનો દસ-બાર વર્ષનો હતો ને, ત્યારે અમારા કુટુંબમાં એક ભાઈ મરી ગયેલા. તે બધા એમના ભાઈઓએ પોક મેલી. તે આ પોક કેવી રીતે મેલી ? માથે આટલે સુધી ઓઢેલું ખેંચે, અહીં સુધી. એટલે મોટું દેખાય નહીં. આંખ દેખાય. નહીં ? મહીં અંદર શું કરી રહ્યા છે. પોક મેલી રહ્યા છે કે એ રેડિયો વગાડી રહ્યા છે, આપણને ખબર પડે નહીં. એટલે આમ પોક મેલી અને એવો અવાજ આવ્યો કે મને ઉઘાડી આંખે રડવું આવ્યું. વિષાદ રસ ઉત્પન્ન થાય એવું બોલ્યા. અને વિષાદ તે આંખમાંથી પાણી આવી ગયા, એટલે મેં જાણ્યું કે અત્યારે હું આટલું રડ્યો તો આ કેટલું રડ્યા હશે ? અને મહીં હતી પોલંપોલ. પછી આ બધું જોઈ લીધેલું. આ બધું નાટક છે ખાલી. પ્રશ્નકર્તા: એ દસમાં વર્ષની વાત પછી એંસી વર્ષ સુધીમાં તમે કેટલી વખત રડ્યા ? દાદાશ્રી : રડાય તો ખરું પણ અમુક સ્ટેજે પાછું રડાય અને પછી બંધ થતું જાય. એ તો બા મરી ગયા ત્યારે રડાયેલું, કારણ કે એ જો ન રડું ને, તો મહીં ડૂમો ભરાય ને દુઃખ થાય. એટલે ત્યારે જાણીને રડેલો. મમતાતા પરમાણુ નીકળી જવા જોઈએ આ તો મૂર્ખાઈ એટલે રડે છે. નવું શું બન્યું છે ? જે બનવાનું હતું તે જ બન્યું છે ને ! પ્રશ્નકર્તા : બરાબર છે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy