SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ ૩૬૯ અને વિધિ કરવાની. બીજી વાર બે પગ માથે મૂકવાના. એ વિધિ દસ મિનિટ કરવાની. એ મારી સેવા. બીજું તો મારાથી ઊંચકાય નહીંએટલે શી રીતે ? બીજું, ઊંચકનારા તો બધા છે. બીજી સેવા નહીં. અને પછી મને તરત વિધિ કરીને પછી હું આમ “જય સચ્ચિદાનંદ' કહું એટલે એ “જય સચ્ચિદાનંદ' બોલે. છેલ્લે અશાતા ન આવે અને સમાધિમરણ થાય એવી વિધિ શાતા વેદનીય ક્યાંથી ઉત્પન્ન થઈ ગઈ ? આવી કેવી પુણ્ય કહેવાય ? તે મનમાં ભય રહ્યા કરે કે કોઈ અશાતા આવી પડે તો ? એટલે હું રોજ પ્રાર્થના કરું, કે અશાતા ના આવે. આવા સુંવાળા માણસને અશાતા આવે એના કરતા મને આવો. પ્રશ્નકર્તા: ના, આવા સમયમાં તો લોકો ચીઢિયા બહુ કરે, બીજા તો ચીઢિયા કરે. દાદાશ્રી : હા, વિધિઓ થઈને. વિધિ કરાવું એટલે મને તરત કહે “જય સચ્ચિદાનંદ.” ચીઢિયા તો ખાધા જ નહીં એમણે. એ બીજા ચીઢિયા કરે છે ને, એ એનું કારણ પોતાને દુ:ખ થાય છે તે સહન થતું નથી. આમને દુઃખ જ થતું નહોતું ને ! જુઓ ને આ પણ અક્ષરેય બોલ્યા નથી. બૂમ નહીં, બરાડો નહીં, ફરિયાદ નહીં. શાતા વેદનીય કાયમને માટે ! અશાતા ના હોય તો જ આવું બોલે ને, નહીં તો ચીઢાયેલા હોય. નહીં તો જ્ઞાનીનેય અશાતા વેદનીય હોય. અસર ના થાય એ જુદી વસ્તુ છે. અશાતા વેદનીય હોય એટલે શબ્દ કકરો નીકળે. એમને તો એય કકરો નહીં. એટલા માટે હું રોજ વિધિ કરતો હતો કે અશાતા વેદનીય દેખાય નહીં તો સારું. હવે આવી નથી. અને છેલ્લે દહાડે આવે તો ? એટલે મેં એની વિધિઓ કરેલી કરેક્ટ. અડધી રાતેય પાછી બધી વાતોચીતો કરી હતી. અને રોજના જેવું જ લાગે આપણને. અને એમણે કહ્યું કે મારો આ હાથ દુ:ખે છે.” થોડીકવાર દબાવ્યું, ત્યારે કહે, “મટી ગયું
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy