________________
[૧૧] દાદા તીખા ભમરા જેવા
સત્સંગમાં પ્રોફેસરો આવે તે એક પ્રોફેસરે હીરાબાને પૂછ્યું કે ‘દાદાનો સ્વભાવ પહેલેથી બહુ સારો ?' ત્યારે હીરાબાએ કહ્યું, ‘પહેલા તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા.' દાદાશ્રી એ પણ કબૂલ કરે, ‘હા, એવું જ હતું. સાચે જ, બહુ તીખો.' દાદાશ્રી કહે છે, અમારી પાસે સિક્રસી ના હોય. દીવા જેવી ખુલ્લી વાતો. અને કંઈ ખોડ કાઢવા જેવું હતુંય નહીં મહીં. સિક્રસી રાખે એ ગુનાવાળો હોય. હીરાબા કહે કે દાદા તીખા ભમરા જેવા, તો દાદાશ્રી તરફથી કોઈ દલીલ જ નહીં. કોઈ પણ જાતની દલીલ એ ગુનો છે. બધાની રૂબરૂ જ સ્વીકારી લેતા કે હા, હું તીખા ભમરા જેવો હતો. હવે પાંસરો થઈ ગયો.
હીરાબા સરળ સ્વભાવી, તે ચોખ્ખું બોલે. કારણ કે પ્યોરિટીને બધી. સહજ ભાવે જે આવે તે બોલવાનું, કશી ડખોડખલ નહીં. કોઈની શરમ જેવુંય નહીં. જેવું લાગે તેવું બોલી નાખે. સાહજિક માણસનું કોઈને દુઃખ ના થાય.
દાદાશ્રી કહેતા કે અમે કર૫ રાખેલો ને લાગણીયે રાખવી પડે. બેઉ સાથે રાખવું પડે, કારણ કે આ તો સ્ત્રીજાતિ કહેવાય. તેથી હીરાબા કહેતા કે દાદા તીખા ભમરા જેવા. બાકી આમ બનાવટી રીતે દાબ રાખેલો. કો'ક દહાડો વધુ પડતું બગાડે, તો જરા કડક થઈ જવાનું. તેથી ડિરેલમેન્ટ ના થાય. તેથી હીરાબાના મનમાં રહી જવાનું કે દાદા તીખા ભમરા જેવા છે. બાકી ખરેખર તીખાપણું નથી દાદામાં એવું હીરાબા જાણે નહીં. જ્ઞાનીમાં પ્રતાપ અને સૌમ્યતા બન્ને ગુણ હોય !
બધી સ્ત્રીઓ દાદાને દેખે તો એમની એક આંખમાં કડકાઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે. એક આંખમાં કરપ અને એક આંખમાં પ્રેમ. તેથી સ્ત્રી બેલેન્સમાં રહે. કોઈની જોડે ઊંચે અવાજે રહેલા નહીં ચાલીસ વર્ષથી, આજુબાજુવાળાય જાણે કે ભગવાન જેવા છે.
એક આંખમાં ધમક અને એક આંખમાં પ્રેમ, પ્રેમ તો જોઈએ જ. પ્રેમ વગર તો માણસ જીવે શા આધારે ?
ટૈડકાવવાની જગ્યાએ વાઈફને ના ટૈડકાવી એનાથી એ વધારે
37