SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબાને એવી રીતે વાળો છો કે એમનાથી ખરાબ કર્મ ન બંધાય, દુઃખી ન રહેવાય ને બધી રીતે એમનું કલ્યાણ થાય ! દાદાશ્રી : હા, હીરાબાને ઝામર થયેલું ત્યારે ડૉકટર જરાક કંઈક કરવા ગયો તેનાથી તેમની એક આંખ જતી રહી. લોકોએ કહ્યું કે “ડૉકટર ઉપર લાખ રૂપિયા નો દાવો માંડો.” મેં ના કહી. પછી હીરાબા જોડે ગમ્મત કરતા કહ્યું કે “આપણે ડૉકટર ઉપર દાવો માંડીશું કે ?” ત્યારે હીરાબા બોલ્યા કે “ના, એમાં ડૉકટરનો શો ગુનો ? ડૉકટર તો સારું કરવા ગયો હતો ! એ તો મારા ભાગ્ય એવા તેથી ! બા એવું કશું કરશો નહીં.” અને હુંય કરવા ના દઉં ને મારે તો ગમે તેમ હીરાબા પાસે ‘હા’ કહેવડાવવું'તું. આ તમને જોવાનું મળ્યું છે ને ! બીજા માણસ જોઈને તૈયાર થઈ જાય ! પ્રશ્નકર્તા: આવી બીજી કોઈ વાત હોય તો કહો ને. દાદાશ્રી : હું ગમ્મત કરું કોક દહાડો. મેં કહ્યું, “આ મારે ઘડપણ લાવવું નહોતું પણ પૈડપણ પેસી ગયું આ મને.” ત્યારે એ કહે, “એ તો બધાને આવે, કોઈને છોડે નહીં.” એમને મોઢે કહેવડાવડાવું. અને આપણું કરેલું આપણે જ ભોગવવું પડે. એમાં ચાલે નહીં, એવું કહે. હીરાબા જોડે લઈએ સહમતી તે હીરાબા તો એટલા સારા, હું મામાની પોળમાં રહેતો'તો ને, મેં કીધું કે આ બધા કહે છે, તો આપણે ઘર બદલવું છે ? બંગલામાં જવું છે ? ત્યારે કહે, ‘ત્યાં વધારે પંજો વાળવો પડે, એના કરતા આપણે અહીં સારું છે. અને આ વસ્તી સારી વાણિયા લોકોની, જોડે જોડે, અડીઅડીને, અને પેલું તો બંગલામાંથી બહાર નીકળીએ, કમ્પાઉન્ડની બહાર નીકળીએ ત્યારે ભેગા થાય.” પણ મારી ઈચ્છા નહીં એટલે હીરાબાની આમ સહમતી લઈ લઉં. મારી ઈચ્છા નહીં. તે વગર કામના ખર્ચા વધારવા, પૂંજા
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy