________________
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
૩૧૭
દાદાશ્રી : એમનેય ખબર પડતી'તી. પણ બહુ અનુભવ નહીં. એમના થોડા કાચા અનુભવ, પણ મોહ ઓછા આમ. જેને જેટલો સુખ નથી એવો અનુભવ થયેલો હોય, તેટલો તેને મોહ ઓછો હોય.
પ્રશ્નકર્તા : હીરાબાને આપના પર ખૂબ ભાવ હતા ? એવો જ ભાવ રહે હીરાબાને ?
દાદાશ્રી : એમને બધા સારા ભાવ હતા, ફર્સ્ટ ક્લાસ ભાવ !
પ્રશ્નકર્તા ઃ આપને જ્ઞાન થયા પછી, હીરાબા આપને પરમાત્મા જેવા જ માને ?
દાદાશ્રી : ના, પહેલા નહોતા માનતા, પણ પછી છે તે એમને મનમાં લાગ્યું કે “ના, આ બરાબર છે. પહેલા મહીં બીજાની શિખામણ હતી. એટલે “કૃષ્ણ ભગવાન એ જ ભગવાન” કહે.
પ્રશ્નકર્તા : પછી તમે સમજાવો એમને ?
દાદાશ્રી : એવું દબાણ કરવાનું નહીં. આપણે શું કામ છે, એવું મનાવીને પણ ? જેને ગરજ હોય તે માને.
પ્રશ્નકર્તા : પણ હીરાબા હતા ને ?
દાદાશ્રી : તેમાં શું થયું, આ બીજા લીમડાબા નહીં ? કાશીબા, લીમડાબા.
પ્રશ્નકર્તા : દાદા, પણ હીરાબા તો આપની કેટલી ક્લોઝ ફાઈલને, ફાઈલ નંબર ટુ.
દાદાશ્રી : એ ફાઈલો હોય જ ને પણ !
દાદાય ભગવાત પણ કૃષ્ણ એ ખરા ભગવાન
એ મને કહે છે, “કૃષ્ણનું નામ દઈશ, તમારું નહીં દઉં.' એમને એ પહેલેથી પેસી ગયેલું કે આ જૈનધર્મ પાળે છે, એટલે જૈન છે આ બધું. પણ વિધિ-બિધિ કરે અત્યારે. આમ જ્ઞાનેય લીધેલું, પણ એ હજુ