________________
૨૯૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : દાદા હવે આખી દુનિયાના છે, ખાલી એકલા હીરાબાના નથી.
દાદાશ્રી : નહીં ? આખી દુનિયાના ! સત્યાવીસ વરસથી મેં ટેન્શન જોયું નથી. સમજવું તો પડશે ને દુનિયામાં, ક્યાં સુધી આવું ગડું ચાલ્યા કરશે ? આમ ગમ્યું, તદન ગપુંવાળું !
નાટકીય મમતા એનું નામ શુદ્ધ વ્યવહાર એ તો હવે આપણે વ્યવહાર નાટકીય કરવાનો છે. તે નાટકીય એમેય કહીએ હીરાબાને કે “મને તમારા વગર ગમતું નથી.” તે એમને કેટલો આનંદ થાય !
પ્રશ્નકર્તા : આનંદ તો થાય.
દાદાશ્રી : “આવું કોણ કહેનાર છે” કહેશે. અત્યારે આ વખતમાં, ઘડપણમાં કોણ કહે ? તે વ્યવહાર જ જોવાનો છે જ્ઞાની પુરુષનો. તે આજે જોયો ?
પ્રશ્નકર્તા : વ્યવહારના આગ્રહી, એ પણ આવો વ્યવહાર ના કરે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: બહુ ઊંચો વ્યવહાર થયો. દાદાશ્રી : ભર્તુહરી રડે પણ બધું નાટકીય. કેવું ? બંધન નહીં.
પ્રશ્નકર્તા : દાદા, આવું આ કાળમાં રહે નહીં ને ! નાટકીય મમતા આ કાળમાં રહે નહીં.
દાદાશ્રી : ના રહે. નાટક કરો બધું. ખાવ-પીવો બધું પણ નાટકીય. શું ? અમે નાટક કરીએ જ છીએ ને !
પ્રશ્નકર્તા: આ કાળમાં કો'ક જ આપના જેવો હોય કંઈક. આ કાળમાં નાટકીય મમતા મળે નહીં.
દાદાશ્રી : ના, નાટકીય મમતા તો હોય નહીં ને ! અમે કેવું