________________
[૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ
૨૭૧
પુણ્યશાળી.” તે એટલું પુણ્ય છે તમારું ? હવે કોણ આટલું બધું કરે ? સેવામાં બધા હાજર હોય, ખબર જોવા બહુ જણ આવે છે. પુણ્યશાળી તમે વધારે ! એમ ?
હીરાબા : એ તો ખરું જ સ્તો.
દાદાશ્રી : એક દહાડો હીરાબા કહેતા'તા, “હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ટર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તોય અત્યારે આ પગે ફેક્યર થઈ ગયું. તમારી પુણ્ય કરતા મારી પુણ્ય ભારે.” ત્યારે મેં કહ્યું, “પુષ્ય તો ભારે જ કહેવાય ને ! અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુણ્ય છે ?” તમે પીપળા પૂજેલા મને લાગે, નહીં ?
હીરાબા ઃ હા, પીપળા તો ખરેખરા પૂજ્યા છે.
દાદાશ્રી : કશું પૂછ્યું હશે સારું, નહીં તો આવું બધું મળે નહીં. રાજાની રાણીનેય આવું તો ના મળે ! લોક તમારા હારુ ત્યાં આગળ ભગવાનને ભક્તિ કરે છે, કે બાને વહેલામાં વહેલું હાથે મટી જાવ બધું. ત્યારે શું પૂછ્યું'તું, એ કહો ને બધાને, તો એ પૂજે લોક !
હિરાબા : લોકોને તો ના મળે. પ્રશ્નકર્તા : બે-ત્રણ જણને તો કહો. હીરાબા : ના, બે-ત્રણ જણને ના મળે. જેણે કર્યું હોય એને મળે. પ્રશ્નકર્તા: પણ શું કર્યું એ તો કહો. હીરાબા ઃ એ કરેલું કહેવાય કે ? પ્રશ્નકર્તા ઃ મને તો શિખવાડો. હીરાબા : ના, કોઈને નહીં શિખવાડવાનું.
તથી કરી ફરિયાદ નીરુમા : દિવાળીબાને નભાવી લીધેલા તમે ?