________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૪૧
પ્રશ્નકર્તા : તિરાડ.
દાદાશ્રી : ત્યારે કહે, “ભાઈ, એવું ના થાય. આ પૈડે પૈડપણે આવું થતું હશે ?” મેં કહ્યું, “જે માટલાને તિરાડ પડી એ પછી માટલું કામમાં શું લાગે ? એ તો પાણી ઝમે, પાણી ગમે એટલું ભરીએ તો નીકળી જાય બહાર.” માટલાને તિરાડ પડી હોય તેને રખાય ? બેનને પૂછી જો, તિરાડ પડી પછી માટલું રખાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : મેં કહ્યું, “માટલાને તિરાડ પડી, શી રીતે રખાય ?' એટલે બધા પડોશીઓ ગભરાઈ ગયા, “મારું હારું આવું બોલે છે ! માટલાને તિરાડ પડી ગઈ' કહે છે. ત્યારે મૂઆ અમારે ઘેર આવું હોય ? તે દહાડે ખાંડ-બાંડ, ચા-બા બધું ફેક્યું'તું, પણ વીતરાગ ભાવમાં ! સહેજે પેટમાં પાણી હાલ્યા વગર !
એક જ ઓપરેશતથી કાયમતું સોલ્યુશન સામેવાળી બાઈ તો સજ્જડ જ થઈ ગઈ. અને હું બોલું એટલે તો આજુબાજુના ગભરાઈ ઊઠે બધા. “દાદા વિફર્યા છે' કહે છે. અને વીતરાગ વાણી પાછી, કેવી ?
પ્રશ્નકર્તા : વીતરાગ ! દાદા, અમને આ સાંભળતા જ ડર લાગે છે. ક્યારની વાત છે આ ? કેટલા વરસ પહેલાની વાત ?
દાદાશ્રી : ૧૯૬૨-૬૩ની વાત, ત્રેવીસ વરસ પહેલાની. પ્રશ્નકર્તા: પછી શું થયું દાદા?
દાદાશ્રી : ક્યા હુઆ ફિર ? બધા ગભરાઈ ઊઠ્યા તેથી પછી કેસ માંડવાળ કર્યો.
પ્રશ્નકર્તા : સમાધાન ? દાદાશ્રી : હા, કે “ભઈ, ચાલો આ ફેરે નભાવી લઈએ છીએ. ફરી