________________
એકદમ વાળી દેવાનું. ત્યારે હીરાબા કહે છે, “હું કંઈ તમારા ભાઈબંધને ઓછું મૂકવાની હતી ? જરૂર પ્રમાણે ધીમે ધીમે આપત. વધારાનું ઘી ઢોળી દેવાનો શો અર્થ છે ? તમે બધાની વચ્ચે મારું અપમાન કરી નાખ્યું.” એવું બોલ્યા તે દાદાશ્રીને એમની ભૂલ સમજાઈ કે આ તો જુદા જુદા પ્રકૃતિ સ્વભાવ છે.
પછી દાદાશ્રીને સમજાયું કે આ તો એમનું ડહાપણ હતું અને મારું ગાંડપણ હતું. વધારે પડતું ઘી ઢોળી દેવું એ તો ગાંડપણ જ કહેવાય ને ! જેને ન્યાય બુદ્ધિથી જોવું છે એને સાચું સમજાય. આ તો પ્રકૃતિની આદતો, જેવું જોયું હોય એવું શીખે.
પછી પોતે હિસાબ કાઢ્યો કે આ તો એમને પદ્ધતિસરનું છે ને પોતાનું લાફાપણું છે ! પછી તારણ કાઢી નાખ્યું કે એમની વાત કરેક્ટ છે. કરેક્ટનેસ નક્કી કરી દીધી પછી બીજું જોવાનું નહીં.
[૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ
દાદાશ્રી કહે છે, “હીરાબા જોડે ચાલીસ-પચાસ વર્ષથી મતભેદ નથી. હાથમાં લગામેય અમે રાખી નથી. અમે હીરાબાને કહેતા કે હું તો તમારો ગેસ્ટ છું.”
એક વખત કિસ્સો એવો બન્યો હતો કે એક ભાઈ આમ એમના ભત્રીજા જમાઈ થતા હતા, તે આમ આવે ત્યારે સત્સંગની વાતો કરે, એમને મજા આવે. એ ભાઈ આવે ત્યારે એમની જોડે ચા-પાણી પીવે. એકાદ પાપડ-પાપડીનો નાસ્તો કરે. એક દિવસ પેલા ભાઈને ઉતાવળ હતી. તે ફક્ત મળીને પછી જતા રહેવું હતું. ત્યારે દાદાશ્રી એમને કહે છે, ચા પીધા વગર ના જવાય. તે પછી હીરાબાને રસોડામાં બૂમ મારીને કહ્યું કે “આ ભાઈ આવ્યા છે, એમને માટે ચા મૂકજો.”
હીરાબા જાણે કે રોજ આવે છે એમ બેસશે અને આજે પેલા ભાઈને ઉતાવળ હતી. અંદર રસોડાના સંજોગ બદલાયેલા. પાડોશીને ત્યાં મહેમાન આવેલા તે સ્ટવ બગડ્યો હશે એમનો, તે હીરાબા પાસેથી સ્ટવ લઈ ગયા. બહાર દાદાશ્રી પેલા ભાઈને કહે છે, “પાપડી ખાધા વગર ના જવાય. રસોડામાં હીરાબાને કહેવામાં આવ્યું કે “આમને જવું છે, જરા
26