SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જોડે લઈ જવાનું છે ? મરવાના ના હોય તો ફરી બાઝીએ ! મરવાના તો છે જ, તો આ સંસાર સારી રીતે ભોગવો અને આવતો ભવ સુધારો ! મતભેદ પડવાનું કારણ શું કે પેલી જાણે હું અક્કલવાળી, ભાઈ જાણે હું અક્કલવાળો ! પછી બે અક્કલ ટકરાય, ત્યાં સોલ્યુશન આવે ? દાદાશ્રી કહે છે, જો હીરાબા કહે કે તમારામાં અક્કલ નથી, ખરેખર તો કહે એવા નથી, છતાં આવું કહે તો અમે કહીએ, બરોબર છે, સારું થયું તમે મને ચેતવ્યો. આપણે શું કામ મતભેદ પાડીએ ? ભેગું રહેવું ને મતભેદ પાડવો, શો અર્થ છે ? એમની વાત ના ગમતી હોય તોય કહીએ કે તમારી વાત તો મને બહુ ગમી. મોઢે કહેવામાં શું વાંધો છે ? સંસારમાં સુખ-શાંતિમાં રહેવાય અને મોક્ષે જવાય એવો રસ્તો ખોળી કાઢો ! નહીં તો કોઈને સહેજ દુઃખ થશે તો વેર બંધાશે ને મોક્ષે નહીં જવા દે. દાદાશ્રી કહે છે, હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તોય અમારે જ્ઞાન હાજર હોય કે એ ઘી ઢોળે જ નહીં, છતાં ઢોળાય છે તો જોવા જેવું છે માટે જુઓ ! આમ મતભેદ ના પડવા દઈએ. હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. એ અવળું કરે તોયે ભાવ બગડે નહીં. એક અવતાર હિસાબ પૂરા કરો. પરણવાનું ને પરણીને પછી પસ્તાવાનું. પસ્તાવાથી અનુભવ જ્ઞાન થાય. એ કંઈ ચોપડી વાંચ્ચે અનુભવ જ્ઞાન ના થાય. દાદાશ્રી કહે છે કે અમે જે બોલીએ છીએ એ પ્રમાણે આખી લાઈફમાં વર્તલા છીએ. મારી જાત ઉપર ટ્રાયલ લીધા પછી કહું છું. મતભેદ પ્રફ થઈ ગયો ને, એ જ ભગવાન થવાની તૈયારી ! મતભેદ એટલે ભીંત સાથે માથું અથાડવું ! બિઝનેસમાં બે ભાગીદાર અથડાય તો સમજાય કે બે સમજદાર અથડાયા. પણ ઘરમાં મતભેદ કરાતો હશે ? એક બેલેન્સ અને બીજા આઉટ ઓફ બેલેન્સ ! આપણે એડજસ્ટ થવું જોઈએ. દાદાશ્રી કહે છે કે અમે હીરાબા સાથે એડજસ્ટ થતા હતા. અથડામણ ઊભી ના થવી જોઈએ. અથડામણમાં આવવાથી પ્રતાપ જતો રહે ! દાદાશ્રી પોતે નાના નાના પ્રસંગોનું વર્ણન કરે છે, સામેવાળો ના ફરે તો પોતે એડજસ્ટ થઈ જતા પણ મતભેદ પડવા દેતા નહીં. સામી 24
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy