SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ ૧૯૯ ઠંડો થઈ જજે, સાવધ થજે.” હવે બેઉ જણ ઝઘડે તો તો પાડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લઢો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, “ના, ક્યાં જવાનું ?” જો ફરી ભેગું થવાનું છે, તો પછી શું કરવા લઢે છે ? આપણે એવું ચેતવું ના જોઈએ ? સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી. બ્રાહ્મણ કહે, ‘સમય વર્તે સાવધાન” તે મૂઓ સમજે નહીં પાછો, એ સાંભળતો જ નથી. અલ્યા મૂઆ, આટલું તો સાંભળ, સરસમાં સરસ વાક્ય છે, કે “સમય વર્તે સાવધાન.” એ જો બહુ ચિઢાઈ ગઈ હોય, અને આપણેય ચિઢાઈએ, તો શું રહે પછી ? એટલે સમય વર્તવો પડે. એ ચિઢાયેલી હોય ને આપણું મહીં મગજ ઊનું થયું હોય તો પાણી રેડી આય ઉપર, બાથરૂમમાં જઈને. એને ટાઢું પાડી દઈએ, નહીં તો સવારમાં વેશ થાય બધો. અને તે ઘડીએ રાતે જમણ જ બગડે ને ! “સમય વર્તે સાવધાન !” શબ્દ બહુ ઊંચો છે. આ હિન્દુસ્તાનમાં કહેવામાં આવે છે. બ્રાહ્મણો લગ્ન વખતે બોલે છે, “સમય વર્તે સાવધાન ” પણ આ કોઈ સાંભળતો-કરતો નથી, હું. એના બાપના સમ જો સાંભળતો હોય તો. એને તો વહુમાં ને વહુમાં જ ચિત્ત. “મારી વહુ, મારી...” જાણે જતી રહેવાની હોય ને ! “સમય વર્તે સાવધાન' શબ્દ બહુ સુંદર છે ! આ સમય વર્તે સાવધાન એટલે છેલ્લા પ્રકારની જાગૃતિ. સમય એટલે સમયે સમયે જાગ્રત. સમયે સમયે સાવધ રહેવાનું. પૈણતી વખતે કહે છે, “સમય વર્તે સાવધાન.” તે મહારાજે ખરું કહ્યું, જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર, તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢે પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy