SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) કોઈને કકળાટ નથી અને સામસામી આજ્ઞાઓ લે છે. એ કહે કે “શેનું શાક લાવું ?” ત્યારે હું કહું કે “તમને ઠીક લાગે તે !' ઓહોહો ! કેટલા મેં એમને ગાદી ઉપર બેસાડી દીધા ને ? પ્રશ્નકર્તા : હા, ગાદી ઉપર બેસાડી દીધા. દાદાશ્રી : અને એમણે મને ગાદી ઉપર બેસાડ્યો ને ? પ્રશ્નકર્તા ઃ હા, પૂછયું એટલે. દાદાશ્રી : એટલે આપણો વ્યવહાર લોકો દેખે ને, એવી રીતે એમનો વ્યવહાર સુધરે. એટલે પછી અમે એવો વ્યવહાર રાખેલો. લોકોનેય સારું લાગે કે બેઉ કેવા સરસ છે ! એટલે કાયમ સુધી ચલાવ્યો મેં. વિનય છે આ જાતનો, નહીં તો એકતરફી ચાલ્યું જાય બધું. એ પૂછે ને આપણે કહીએ, ‘તમને ઠીક લાગે એ.” જોનાર લોકનેય એમ સારું લાગે કે આમનુંય ચલણ છે ઘરમાં ને આમનુંય ચલણ છે, બન્નેનું ચલણ છે. - જ્ઞાતીના સંસ્કારોની તો વાત જ જુદી છે ! એટલે જે દહાડે ના પૂછે ને, તે દહાડે કહ્યું, “પાછું દૂધી કંઈ લાવ્યા ?' ત્યારે “આજ તમને ના પૂછયું તેનો ગુનો' કહે. અમારે પૂછાવવું નથી, અમારે તો વ્યવહાર દેખાડવો છે. અમે કોઈના ધણી થવા નથી આવ્યા કે ધણીપણું બજાવવા નથી આવ્યા. ધણી થવાનો વાંધો નથી, ધણીપણું બનાવવું એનો વાંધો છે. આપણો વ્યવહાર બહાર દુનિયા જુએ એવો રાખવો, વિનયવાળો ! એટલા માટે ભૂલ કાઢી. બાકી મારે દૂધીનો વાંધો નથી. એવું ના હોવું જોઈએ કંઈક વિનય-બિનય ? આપણે ત્યાં ઘરમાં વિનય દેખાવો જોઈએ ને ? અહિંસક વિનય, તેમાં પૈસા ખર્ચવાનો નહીં. અને બહારવાળો સાંભળે તો કેવું સરસ દેખાય ! લોકો જાણે કે ઓહોહો, આ બેનો વ્યવહાર કેટલો સુંદર છે ! આય નોબલ છે ને આય નોબલ છે ! પૂછનારો નોબલ કહેવાય કે ના કહેવાય ? પોતાનું ધણીને પૂછે એને લોકવ્યવહાર નોબલ કહે કે ના
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy