________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
૧૪૩ આર્ય સન્નારી છે ને ! અને પાછા કેટલાંક તો એમ કહી દે છે, “તે શું તમારી ભૂલ નહીં થતી હોય, તે મારામાં અમથા ભૂલો-ખોડો કાઢ કાઢ કરો છો વગર કામના ?” તે આપણી નથી થતી કંઈ ધંધામાં ?
પ્રશ્નકર્તા ઃ થાય છે.
દાદાશ્રી : એ જોવા આવે તો ખબર પડી જાય. આ તો પાછા કઢીમાં કો'ક દહાડો મીઠું વધારે પડ્યું હોય ને તો, “આ કટું ખારું કર્યું છે” કહે. ત્યારે મૂઆ, રોજ મીઠું બરોબર હોય તો સારું બોલતો નથી ને અત્યારે એક દહાડા હારુ કાળમુખો શું કરવા થઉ છું ? કાળમુખો થઈને ઊભો રહ્યો હોય ! રોજ સારું થાય ત્યારે ઈનામ આપતો નથી. હવે ખરો કાયદો શું ? ભોગવનારનો વાંક હોય ત્યારે કઢી ખારી થઈ જાય. એને તો ખારીની ઈચ્છા નથી, તો કેમ ખારી થઈ ગઈ ? ત્યારે કહે, “ભોગવનારના ભાગમાં વાંકું છે આજે.” એટલે “ભોગવે એની ભૂલ” છે. કોની ભૂલ છે હવે આ ઊંધું સમજીને બધું બાફ-બાફ કરે. અને તે કચુંબર રાખવાનું તેને બાફે અને બાફવાને કચુંબર કરે. થોડું ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ? આ લોકોનું આપેલું લૌકિક જ્ઞાનને શીખીએ તો માર ખાઈ ખાઈને મરી જઈએ. એ તો જ્ઞાની પાસે એક કલાક બેઠા હોય ને, તો કેટલાય આંકડા મળી જાય, ચાવીઓ મળી જાય અને ડાહ્યા થઈ જઈએ.
તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડોઘણો ડાહ્યો થયો કે નથી થયો હજુ ? થઈ જવાશે ને, ડાહ્યો ? સંપૂર્ણ ડાહ્યા થઈ જવાનું. ઘેર વાઈફ' કહે, “અરે, આવા ધણી ફરી ફરી મળજો.”
એટલે કશું બોલવાનું નહીં. વહુને તો કશું કહેવું જ ના જોઈએ. એ તો વહુ સારી હોય છે કે આપણો દોષ કાઢી બતાવતી નથી.
પ્રશ્નકર્તા : અમુક જણને મતભેદ ના પડે તો આનંદ ના આવે !
દાદાશ્રી : બળ્યું, કકળાટથી જો આનંદ હોય ત્યારે એને કોઈ કકળાટ કહેય નહીં ને !