SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી... ૧૩૯ એ સત્તા જુદા હાથમાં છે. એક પરમાણુ, એક રઈ ખાવાની કોઈનામાં સત્તા નથી. આ વર્લ્ડમાં કોઈ એવો જભ્યો નથી કે રઈ પોતે ખઈ શકે. સંડાસ જવાની શક્તિ નહીં ને ! એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. અહીંના ડૉક્ટરો ભેગા કર્યા ફોરેનના, એટલે ઊંચા-નીચા થવા માંડ્યા, ‘કે ભઈ, તારું અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે કહે, “યસ, યસ, યસ (હા, હા, હા) !” આ તો ખાતારતું ભાગ્ય બોલે છે પ્રશ્નકર્તા એ સમજાવો ને દાદા, કે જે ખાવાનું આપણી સામે આવે છે, તે કયા આધારે આવે છે ? દાદાશ્રી : તે આપણો જ હિસાબ, ભોગવનારનો હિસાબ. ભોગવનાર પુણ્યશાળી હોય ને, તો બહુ સુંદર ખોરાક આવે સામો અને ભોગવનાર જરા અડધો અકર્મી હોય, ત્યારે પછી અવળું આવે છે. એટલે ભોગવનારની ભૂલ છે એમાં. આપણું પુણ્ય અવળું હોય ને, તો અવળું આવે અને પુણ્ય સવળું હોય તો બહુ સુંદર આવે. એ બનાવે છે તે એના આધીન છે ? એ કંઈ નાખે છે એ એની અક્કલ નથી, એ આપણું પુણ્ય જોર કરે છે. બધા ખાનારનું પુણ્ય જોર કરે છે. માટે કઢી ખારી થાય ત્યાં કશુંય અક્ષરેય બોલવાનો નહીં. કારણ કે કઢી ખારી થાય ને જો ધણી એમ બોલે કે “આજ કઢી કેમ ખારી કરી છે ?” ત્યાં આગળ ભગવાન શું ન્યાય કહે છે કે “આ માણસને છ વર્ષની સખત કેદની મજૂરીમાં ઘાલો.” શું કહે ? ત્યારે એ કહે, “એવો શો મોટો ગુનો કર્યો ?” ત્યારે ભગવાન કહે કે “કઢી ખારી થઈ એ મૂઆ કહેવાતું હશે ? નંગોડ છું કે શું છે ? કાલે ખારી હતી ? રોજ કઢી ખારી હોય છે ?” ત્યારે એ કહે, “ના, રોજ નથી હોતી.” ત્યારે ભગવાન કહે, “આજે તને ખારી મળી. રોજ સારી શેના આધારે થાય છે ને ખારી શેના આધારે થાય, ભાન છે તને ? આ તારું ભાગ્ય બોલે છે મૂઆ.” શું બોલે છે? ખાનારનું ભાગ્ય બોલી રહ્યું છે, તે તો નિમિત્ત છે બિચારા, બનાવનાર.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy