________________
[૩] મતભેદ નહીં
૮૩
આપણી જ ભૂલ છે. વાંધો શો છે ? શી આબરૂ જતી રહેવાની છે ? તે આબરૂ તો કોની છે ? તે આ તો લૂગડાં પહેર્યા છે તેથી આબરૂ. અને જો ફાટ્યું હોય તો સીવીને સાધ. “અલ્યા, સીવી લે, કોઈ દેખી જશે મૂઆ !” “એટલે આ લૂગડાંને લીધે આબરૂ છે ?” ત્યારે કહે, “હા.” એને સીવ્યું નથી તો પણ આબરૂ હોવી જોઈએ ! કપડું હોય, ફાટેલું હોય, ના હોય, તોય પણ જેની આબરૂ જતી નથી એનું નામ આબરૂ કહેવાય ! અને આબરૂ જ્ઞાની પુરુષ પાસે લેવાની છે. આ લોકોની પાસે આબરૂ લેવાની છે ? જ્ઞાની પુરુષનું સર્ટિફાઈડ હોય ત્યારે લોકોય આપ્યા વગર રહે જ નહીં. આબરૂ જ હોય એની પાસે.
બેમાંથી એક જણ ડહાપણવાળા થાવ પ્રશ્નકર્તા : તે દિવસે પેલી બેન આપને પૂછતી હતી કે “આ પુરુષ પ્રભુત્વવાળો સમાજનો અંત ક્યારે આવશે ?”
દાદાશ્રી : એ તો કાં તો બેનો તમે ડહાપણવાળી થાવ તો આવે, કે કાં તો આ ભઈઓ ડહાપણવાળા થાય. બેમાંથી એક ડહાપણવાળા થઈ જાય ને તો અંત આવી જવાનો. હું ડહાપણવાળો થયો, તે હીરાબાય થઈ ગયા છે. હીરાબા ડહાપણવાળા જ હતા, પણ એમને જેમ તેમ ટૈડકાવીને મેં ઊલટા બગાડ્યા, રોફ મારીને.
અને સાહેબ ટૈડકાવતો હોય મૂઆ ને ! એ તો સારું થયું હું સાહેબની પાસે બેસતો નહોતો ને નોકરી કરું એવો માણસ નહોય. સાહેબ ટૈડકાવે કે ના કૈડકાવે ? અને ઘેર આવીને બફારો કાઢે. પોલીસવાળો બહાર ટૈડકાવે અને ઘેર આવીને બફારો કાઢે.
પ્રશ્નકર્તા : એટલે જ હીરાબા આપને કહેતા હતા ને કે પહેલા તીખા ભમરા જેવા હતા.
દાદાશ્રી : હા, તીખા ભમરા જેવા હતા. કારણ કે હીરાબાને ત્રાસ આપેલો લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી. કડકાઈ ખરી ને ! અને પછી એય પોતે કર્તા છે એવું જાણું, એ મને કર્તા છે એવું લાગે. હું પોતાની