SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] મતભેદ નહીં હોય શબ્દે શબ્દ. અને આપણી છાતીએ લખેલું ના હોય એકુંય શબ્દ. કારણ કે આપણે ભોળા અને એને છાતીએ લખેલું હોય. માટે વેર ના બાંધીશ. મારીશ નહીં આ.' તે પછી બંધ કરાવડાવ્યું એને. ના બંધાય વેર. મેં હઉ પહેલા નાનપણમાં આવા કંઇક તમાચા મારેલા, ધોલોબોલો. પછી મેં બંધ કર્યું. મેં કહ્યું, “આ તો મારી હારી ભૂલ થાય છે !' ૮૧ આ તે કંઈ રીત છે માણસોની ? આવું કરવા હારુ પૈણ્યા'તા ? બઈએ આવી આશા રાખી હશે ? એ પીપળા અમથા ફર્યા હશે ? પ્રશ્નકર્તા : એટલે હવે આજકાલ છોડીઓએ પીપળા મૂકી દીધા, દાદા. દાદાશ્રી : ના, ગોયરો-બોયરો કરી હશે, તે બધું અમથું કર્યું હશે ? મનમાં એ કંટાળે બળ્યું, આ આટલી ગોયરો કરી તોય આવા જ મળ્યા ! અમારી ગરજે કરીએ પ્રતિક્રમણ હીરાબાના સ્ત્રી તો દેવી કહેવાય. પહેલા નાનપણમાં હીરાબાને લડેલા ને, તે મને પચ્ચીસ-અઠ્યાવીસ વરસે ખબર પડી ત્યારે મને અરેરાટી છૂટી ગઈ. પ્રશ્નકર્તા : દાદા, તમે હીરાબાના પ્રતિક્રમણ કરો ખરા ? દાદાશ્રી : કરીએ ને, ના કેમ કરીએ ? અમારી ગરજે, અમારે મોક્ષે જવું હોય તો કરવાનું ને ? મોક્ષે ના જવું હોય તો કંઈ નહીં. હીરાબાના શું, છોકરો હોત તો છોકરાનાય કરત. કારણ મારે મોક્ષે જવું છે. મારે ગરજ છે ને ! પ્રશ્નકર્તા : પણ દાદા, જેના ઘરમાં સ્ત્રી પૂજાય છે તેના ઘરમાં દેવ વસે ? દાદાશ્રી : હા. અમેય હીરાબાને પૂજીએ છીએ. પહેલા પાંત્રીસ વર્ષ સુધી ગાંડા કાઢ્યા. નબળાઈ સમજાતા બંધ થયું બાયડી પર શૂરો થવાતું મેં આ વાક્ય જ્યારથી સાંભળ્યું કે ‘નબળો ધણી બાયડી ઉપર
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy