________________
| મહોબત જોઈએ ! આપણી પાસે કઈ તાકાત છે તે સમજી લેવું | જોઈએ. સત્ય અને અહિંસા એ આપણી તાકાત
| ગુલામોના ગુલામ | હિન્દુસ્તાનમાં છસો દેશી રાજ્યો છે. દુનિયાભરમાં કોઈ એવો મુલક નથી, જેમાં છસો રાજ્યો હોય. કેટલાંક તો એટલાં નાનાં છે કે છસાત ગામનો ધણી પણ પોતાને રાજા કહેવડાવે છે ! ભલભલાં સામ્રાજ્યો ખતમ થઈ ગયાં. રાજાઓ મુગટ ધારણ કરવાથી કંઈ આઝાદ નથી થઈ જતા. એ પણ ગુલામ જ છે. અને એમની નીચે આપણે ગુલામોના ગુલામ છીએ. આવી વિકટ સ્થિતિમાં સાફ રસ્તો કોણ બતાવે ? આટલાં દેશી રાજ્યો હોવા છતાંય હિન્દુસ્તાન એક અવિભાજ્ય મુલક છે. આબોહવામાં, વેપારરોજગારમાં, કોઈ ચીજમાં ફરક નથી. પરદેશી સલ્તનતે પોતાની સત્તા કાયમ કરવા આ બધા ભેદો પડ્યા છે
આવાં રાજ્ય પોતાની શક્તિ ઉપર પગભર નથી, મોટી શક્તિને આધારે ઊભાં છે. પાંત્રીસ કરોડને ગુલામીમાં રાખનાર શક્તિનો સંહાર નહીં થાય ત્યાં સુધી એ ટકી રહેશે.
- ૩૮ ]
એક બે નાના રાજાઓને મારવાની સલાહ આપવાથી આપણું કામ સરવાનું નથી મહાસભામાં પણ કેટલાક એમ માનનારા પડ્યા છે કે દેશી રાજ્યો જ ન જોઈએ.
જે ઢંગથી આ રજવાડાં આજે ચાલી રહ્યાં છે એ જોતાં, આવું માનવાને કારણ પણ મળે છે.
આપસમાં ઝઘડવાથી શક્તિ નાશ પામે છે. આપણી સંસ્કૃતિ પણ સમજપૂર્વક શાંતિ ઉપર રચાઈ છે.
મરવાનો હશે તે એનાં પાપે મરશે. જે કામ મહોબતથી થાય તે વેરઝેરથી નથી થતું.
કોંગ્રેસ પાસે જે શક્તિ છે તે એ છે કે જ્યાં જુલમ થાય ત્યાં તે સહન ન કરી લે પણ સામનો કરે અને તે સત્ય અને અહિંસાથી કરે.
ન ૩૯ ]