SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આચાર્ય મહારાજના ૮૪મા જન્મદિવસના પ્રસંગને યુવાચેતના દિવસના રૂપમાં મનાવ્યો અને બધાંય સંપ્રદાયોએ ભેગા મળીને આચાર્યશ્રી સમુદ્રસૂરિજીને અત્યંત સન્માનપૂર્વક ‘જિનશાસનરત્ન'ની પદવીથી અલંકૃત કર્યા. ૧૯૭૪ની સત્યાવીસમી ડિસેમ્બરે આચાર્યશ્રી સ્વયં આ પાવન ભૂમિ પર પધાર્યા. પોતાના સ્વહસ્તે સ્મારકની ચારેય બાજુની ભૂમિ ઉપર વાસક્ષેપ નાંખીને આ રાષ્ટ્રસંતે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને વલ્લભસ્મારકના નિર્માણ માટે અંતરના આશીર્વાદ આપ્યા. આ અંગે શ્રી રવીન્દ્રકુમાર સહરાવતે નોંધ્યું છે, ‘મેં સ્મારકની નજીકના ગામ નગલી-પૂનાની સ્ત્રીઓની મુખે સાંભળ્યું છે કે, જ્યારે આ સ્મારક માટે જમીન ખરીદવામાં આવી, ત્યારે ત્યાં રહેવા માટે કોઈ મકાન નહોતું. પરંતુ મહત્તરાજી અને એમનાં ત્રણ શિષ્યા એક ઝૂંપડીમાં રહેતાં હતાં અને અમારા ગામમાંથી ગોચરી વહોરી જતાં હતાં. એટલે આ બધું એમના દૃઢ સંકલ્પના પરિણામે જ શક્ય બન્યું હતું.' મહત્તરાજી પાસે આગવી દીર્ઘદૃષ્ટિ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા હતી. વિશાળ જનસમુદાય એમના સંપર્કમાં આવતો હતો અને દર્શન-વ્યાખ્યાનનો લાભ લેતો હતો, પરંતુ એ વિરાટ લોકસમૂહમાંથી ધર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ યુવાનો શોધવાની એમનામાં અપ્રતિમ શક્તિ હતી. યુવાનો પાસે કાર્યશક્તિ હોય છે. યુવાશક્તિ, અણુશક્તિ કરતાં પણ વધુ બળવાન છે. આદર્શ માટે એ અવિરત મથ્યા કરે છે. એનાથી સંસ્થામાં નવી શક્તિ, નવા પ્રાણ અને મૌલિક દર્શનનો સંચાર થાય છે. મહત્તરાશ્રીજી યુવાનોને વલ્લભસ્મારકના કાર્યમાં એવી રીતે ગૂંથી દેતા કે એ યુવાનને આ જ એમનું જીવનકર્તવ્ય લાગતું. આ કાર્યની સિદ્ધિ માટે એ જીવનસર્વસ્વનું સમર્પણ કરી દેતા. એની ભીતરમાં અવિરતપણે વલ્લભસ્મારકનો ધબકાર ચાલતો રહેતો. એમની પાસે તેજસ્વી અને કર્મનિષ્ઠ યુવાનોને ખોજવાનો અનોખો જાદુ હતો. દિલ્હીનિવાસી લાલા ખેરાયતીલાલ પાસેથી એમના પુત્ર રાજ કુમાર જૈનને આ કાર્ય માટે માગી લીધા. એ સમયે રાજ કુમાર જૈન કુટુંબનો બહોળો વ્યાપાર સંભાળતા હતા, પરંતુ દેવ, ગુરુ, ધર્મ અને પિતાજીના આજ્ઞાકારી એવા સંસ્કૃતિમંદિરનું સર્જન રાજ કુમાર જૈને સ્મારકના કાર્યમાં નિઃસ્વાર્થભાવે માનદમંત્રી તરીકે સેવા આપી. તેઓએ પોતાના તન-મન-ધનથી સંપૂર્ણતયા આ કાર્યને એવી રીતે સ્વીકાર્યું કે તેઓ સ્મારકના પાયાના પથ્થર જેવા બની રહ્યા. શ્રીમતી લીલાવંતી (ચાઈજી) શ્રી શાંતિલાલજી (એમ એલ .બી .ડી.) પાસેથી એમના જ્યેષ્ઠપુત્ર શ્રી નરેન્દ્ર પ્રકાશજીને ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ સંસ્થાના કાર્ય માટે માગી લીધા. એમણે સંસ્થાના વાઇસ ચેરમેન તરીકે નિઃસ્વાર્થ ભાવે ૩૦ વર્ષ સુધી સેવા આપી અને સારા સારા વિદ્વાનોને સંસ્થા સાથે જોડ્યા. પૂ. પંડિતશ્રી બેચરદાસજીના શિષ્ય શ્રી જિતુભાઈ શાહ પાસેથી વચન લીધું કે આ ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ સંસ્થાને આપે જ સંભાળવાની છે. તરત જ પૂજ્ય મહારાજજીના વચનોને શિરોમાન્ય કર્યા અને હાલમાં પણ તેઓ આ કાર્ય સુંદર રીતે નિભાવી રહ્યા છે અને આજે આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવી દીધેલ છે. એ જ રીતે શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ અને ગુરુવલ્લભના અનન્ય ભક્ત શ્રી શૈલેષભાઈ કોઠારીને આ સંસ્થા સાથે સાંકળીને મહારાજીએ પોતાની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપ્યો. સહુની કાર્યશક્તિમાં નવીન ઉત્સાહનો સંચાર થયો અને અંતે સ્વપ્ન સિદ્ધ થયું, જમીન મળી અને એના દસ્તાવેજ પણ થઈ ગયા. હવે એના નિર્માણકાર્યની યોજનાઓ થવા લાગી. શ્રી આત્માનંદ જૈન મહાસભાને એનો કાર્યભાર સોંપીને સાધ્વીશ્રી મૃગાવતીજી યુ.પી., મેરઠ, હસ્તિનાપુર, સરધના તરફ જનજાગરણ માટે વિહાર અર્થે નીકળી ગયાં. - આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જીવનપર્યત પોતાના ગુરુ વલ્લભના સ્મારક-સર્જનની પ્રેરણા આપતા રહ્યા અને એમની ઇચ્છા પણ હતી કે એમના જીવનકાળમાં જ આ કાર્ય પરિપૂર્ણ થાય. પરંતુ એમાં જરૂરી વેગ આવતો ન હોવાથી ૧૯૭૬ની ત્રીજી ફેબ્રુઆરીએ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે જૈનભારતી વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીજીને તથા દિલ્હી શ્રીસંઘને એક આદેશપત્ર આપ્યો કે સાધ્વીશ્રી મૃગાવતીજી દિલ્હીમાં રહીને જ વલ્લભસ્મારકનું કાર્ય પૂર્ણ કરે. ગુરુના આદેશને શિરોધાર્ય કરનારા સાધ્વીશ્રીને શીધ્રાતિશીધ્ર ગુરુવચનનું પાલન કરું એવી લગની લાગી. ૧૯૭૬ની બારમી ફેબ્રુઆરીએ એમણે શ્રીસંઘોને ઉદ્દેશીને પોતાના તરફથી આ પાવનકાર્યને તત્કાળ પૂર્ણ કરવા માટે એક હૃદયસ્પર્શી અપીલ કરી અને કહ્યું કે ગુરુઋણ ચૂકવવા માટેનો આ સોનેરી અવસર છે.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy